Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ ૪૩ મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ દેવાદિપૂજનની ક્રિયાથી મોક્ષને અનુકૂળ એવી યોગની પરિણતિ તેઓમાં પ્રગટ થાય છે. તેથી એ ફલિત થાય કે ચરમાવર્તની પૂર્વના જીવનું દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન યોગમાર્ગના પ્રાદુર્ભાવનું કારણ નથી, અને ચરમાવર્તવર્તી જીવનું દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન યોગમાર્ગના પ્રાદુર્ભાવનું કારણ છે. તેથી અચરમાવર્તવાળા જીવના દેવાદિપૂજન કરતાં ગરમાવર્તવાળા જીવોનાં દેવાદિપૂજન અન્ય પ્રકારનાં છે. II૧પો અવતરણિકા: શ્લોક-૧૪-૧૫માં સ્થાપન કર્યું કે અચરમાવર્તવાળા જીવ કરતાં ચરમ પુદ્ગલપરાવર્તમાં વર્તતા જીવનું દેવાદિપૂજન કÚવિશેષને કારણે જુદા પ્રકારનું છે. તેથી હવે ચરમ પુદ્ગલપરાવર્તમાં દેવાદિપૂજનરૂપ અનુષ્ઠાન પાંચ અનુષ્ઠાનના ભેદમાંથી કયા ભેદમાં અંતર્ભાવ પામે છે? તે બતાવવા કહે છે – શ્લોક : चतुर्थं चरमावर्ते प्रायोऽनुष्ठानमिष्यते । अनाभोगादिभावे तु जातु स्यादन्यथापि हि ।।१६।। અન્વયાર્થ : ઘરમાવર્તે ચરમાવર્તમાં પ્રથ: બાહુલ્યથી ચતુર્થ અનુષ્ઠાનં ચોથું અનુષ્ઠાન= તહેતુઅનુષ્ઠાન ફતે ઈચ્છાય છે શાસ્ત્રકારો દ્વારા સ્વીકારાય છે. તુ વળી અનામો રિમાવે અનાભોગાદિ ભાવ હોતે છતે, નાતુ-ક્યારેક અનાથાપિ હિ યાત્રિઅન્યથા પણ થાય છે-અનુષ્ઠાનાદિ પણ થાય છે. II૧૬. શ્લોકાર્ય : ચરમાવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન તહેતુઅનુષ્ઠાન ઈચ્છાય છે. વળી અનાભોગાદિ ભાવ હોતે છતે ક્યારેક અન્યથા પણ થાય. II૧૬ll * ‘મનામોrfમાવે’ અહીં ‘રિ’ થી ભવાભિમ્પંગનું ગ્રહણ કરવું. ‘મીપ' અહીં ‘પ' થી એ કહેવું છે કે ચરમાવર્તમાં પ્રાયઃ ચોથું અનુષ્ઠાન તો થાય, પરંતુ અન્યથા પણ થાય=પૂર્વનાં ત્રણ અનુષ્ઠાન પણ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104