Book Title: Muktiadweshapradhanya Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 42
________________ ૨૧ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૮ છે=ભોજનાદિ વિષયક ક્રિયાનું રોગવૃદ્ધિનું હેતુપણું છે, અન્યને નિરોગી એવા ભોક્તાને, બળઉપચાયકપણું છે=ભોજલાદિવિષયક ક્રિયાનું બળઉપચાયકપણું છે. તિ' શબ્દ શ્લોક સ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. ‘સહકારીભેદ જ આ છે'=ચરમાવર્ત અને અચરમાવર્તગત અનુષ્ઠાનના કરૂપ સહકારીભેદ જ આ છે, પરંતુ વસ્તુભેદ નથી-ચરમાવર્ત કે અચરમાવર્તવાળા જીવો વડે સેવાતા દેવતાપૂજતાદિ અનુષ્ઠાનરૂપ વસ્તુનો ભેદ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ==તારી વાત બરાબર નથી; કેમ કે ઇતર સહકારી સમવહિતપણારૂપે= ફળ પ્રતિ જે અનુષ્ઠાન કારણ છે, તેનાથી ઈતર એવા સહકારીના સમવધાનપણારૂપે, ફળની સાથે વ્યાપ્યતાની અપેક્ષાએ કારણની કાર્યની સાથે વ્યાપ્યતાની અપેક્ષાએ, ત૮વચ્છેદક કારણભેદની જગફળભેદના અવચ્છેદક એવા કારણભેદની જ, કલ્પનાનું ઉચિતપણું છે. અહીં પ્રશ્ન થાય કે સહકારીના ભેદથી કાર્યભેદ થયો છે તેમ સ્વીકારવું કે કાર્યભેદને અનુકૂળ એવા કારણભેદને કારણે કાર્યભેદ થયો છે એમ સ્વીકારવું ? 'તેમાં પ્રમાણ શું? તેમાં હેતુ કહે છે – તે પ્રકારનો જ અનુભવ છે ફળભેદને અનુકૂળ કારણભેદને કારણે જ ફળભેદ થાય છે, તે પ્રકારનો જ અનુભવ છે. તિ=એ પ્રમાણે=કારણરૂપ વસ્તુના ભેદથી જ ફળભેદ થાય છે, એ પ્રમાણે, કલ્પલતામાં અર્થાત્ સ્યાદવાદકલ્પલતા' નામની ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ગ્રંથની ટીકામાં, વિસ્તારથી વર્ણન કરાયેલું હોવાથી પૂર્વપક્ષીની “સહકારીભેદની વાત” બરાબર નથી, એમ અવય છે. I૮. ભાવાર્થ :કર્તાના ભેદથી અનુષ્ઠાનનો ભેદ – સામાન્ય રીતે ચરમાવર્તની બહારના જીવો ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા હોય છે અને તેવા જીવોને પ્રાયઃ મુક્તિનો અદ્વેષ હોતો નથી. ક્વચિત્ ચરમાવર્તની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104