Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 397
________________ અહં છે, બીજાની પાસે પ્રતિષ્ઠાનો. આ અહં તો સ્વયંને આવરે છે પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતો માણસ પ્રભુતાને કેમ પામે ? ચૈતન્યની ચારિત્ર્યરમણતા એટલે પ્રાપ્તિ નહિ, તૃપ્તિ. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરી જઈ રહ્યા છે ત્યારે નન્દીવર્ધને એમને કહ્યું : “ભાઈ ! રાજપાટ છોડી જંગલમાં જવા કરતાં આ રાજ્ય શું ખોટું છે ?' ભગવાન મહાવી૨ની આંખો આકાશ પ્રતિ ઊંચી થઈ અને તૃપ્તિનો પમરાટ પ્રસરાવતાં એમણે કહ્યું : “બંધુ ! જેનું સામ્રાજ્ય ગગનથીય ઊંચું છે, તે આ ધૂળમાં સમય કેમ વિતાવે ? જે પોતાના આત્મા પર રાજ્ય ક૨વા આવ્યો છે તે અન્યનાં શરીર પર રાજ્ય કરવા કેમ રોકાય ?.......' આ શબ્દો કયાં ઊંડાણોમાંથી આવે છે ? જ્યાં વાસનાભરી બુદ્ધિ ડોકિયું કરવા પણ હિમ્મત નથી કરી શકતી એવાં ઊંડાણોમાં આ સમજ પડી છે. મધની પ્રાપ્તિ પછી તો મધુકર પણ ભટકવું મૂકીને તૃપ્તિની લીનતા માણે છે ! આ લીનતા એ જ જીવનના પરમ આનંદની પ્રાપ્તિભરી પૂર્તિ છે. એ પામવું એ જ આ માનવજીવનનો પરમ હેતુ છે, ઉદ્દેશ છે. મુક્તિની આ ભૂમિકા પામવા પ્રભુએ આપણને ત્રણ સાધન બતાવ્યાં : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માની ઝાંખી એટલે દર્શન, આત્માની સમજ એટલે જ્ઞાન. આત્માની ૨મણતા એટલે ચારિત્ર્ય; આ ત્રણમાંથી એક પણ અપૂર્ણ હોય તો મુક્તિ ન સંભવે. હરડાં-બેડાં-આમળાં એટલે ત્રિફળા. તેમ દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણ પ્રાપ્તિ એટલે મુક્તિ. આ પૂર્ણની પ્રાપ્તિ આપ સૌને આ રત્નત્રયીની પૂર્ણતાથી થાઓ એ જ મહેચ્છા. Jain Education International ૩૮૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450