SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ અહં છે, બીજાની પાસે પ્રતિષ્ઠાનો. આ અહં તો સ્વયંને આવરે છે પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતો માણસ પ્રભુતાને કેમ પામે ? ચૈતન્યની ચારિત્ર્યરમણતા એટલે પ્રાપ્તિ નહિ, તૃપ્તિ. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરી જઈ રહ્યા છે ત્યારે નન્દીવર્ધને એમને કહ્યું : “ભાઈ ! રાજપાટ છોડી જંગલમાં જવા કરતાં આ રાજ્ય શું ખોટું છે ?' ભગવાન મહાવી૨ની આંખો આકાશ પ્રતિ ઊંચી થઈ અને તૃપ્તિનો પમરાટ પ્રસરાવતાં એમણે કહ્યું : “બંધુ ! જેનું સામ્રાજ્ય ગગનથીય ઊંચું છે, તે આ ધૂળમાં સમય કેમ વિતાવે ? જે પોતાના આત્મા પર રાજ્ય ક૨વા આવ્યો છે તે અન્યનાં શરીર પર રાજ્ય કરવા કેમ રોકાય ?.......' આ શબ્દો કયાં ઊંડાણોમાંથી આવે છે ? જ્યાં વાસનાભરી બુદ્ધિ ડોકિયું કરવા પણ હિમ્મત નથી કરી શકતી એવાં ઊંડાણોમાં આ સમજ પડી છે. મધની પ્રાપ્તિ પછી તો મધુકર પણ ભટકવું મૂકીને તૃપ્તિની લીનતા માણે છે ! આ લીનતા એ જ જીવનના પરમ આનંદની પ્રાપ્તિભરી પૂર્તિ છે. એ પામવું એ જ આ માનવજીવનનો પરમ હેતુ છે, ઉદ્દેશ છે. મુક્તિની આ ભૂમિકા પામવા પ્રભુએ આપણને ત્રણ સાધન બતાવ્યાં : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માની ઝાંખી એટલે દર્શન, આત્માની સમજ એટલે જ્ઞાન. આત્માની ૨મણતા એટલે ચારિત્ર્ય; આ ત્રણમાંથી એક પણ અપૂર્ણ હોય તો મુક્તિ ન સંભવે. હરડાં-બેડાં-આમળાં એટલે ત્રિફળા. તેમ દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણ પ્રાપ્તિ એટલે મુક્તિ. આ પૂર્ણની પ્રાપ્તિ આપ સૌને આ રત્નત્રયીની પૂર્ણતાથી થાઓ એ જ મહેચ્છા. Jain Education International ૩૮૮ * માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy