Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 405
________________ વૃત્તિઓએ આપણને કેવા પરાધીન બનાવી દીધા છે ! હું તો માનું છું કે અહીં બેઠેલો દરેક માણસ કેદી છે; અહીં બેઠેલો દરેક માનવી પરાધીન છે; અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પુરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે. આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો; એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને – મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું. પણ એ કયા અર્થમાં કેદી ! વેરમાં, વિચારોની સંકુચિતતામાં, વૃત્તિઓમાં ! આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો ? શું શું સહન નથી કરતો ? આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું ? એ કેદી કેમ બન્યો ? અને એ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે ? માનવ પાસે ત્રણ વસ્તુઓ છે : એક છે દેહ, બીજું છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છે: દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા પ્રકારની છે. તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમાંથી કઈ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે છે. તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે. માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદ્ગલ પ્રધાન હોય છે; માનવ ૩૯૯ % માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450