SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિઓએ આપણને કેવા પરાધીન બનાવી દીધા છે ! હું તો માનું છું કે અહીં બેઠેલો દરેક માણસ કેદી છે; અહીં બેઠેલો દરેક માનવી પરાધીન છે; અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પુરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે. આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો; એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને – મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું. પણ એ કયા અર્થમાં કેદી ! વેરમાં, વિચારોની સંકુચિતતામાં, વૃત્તિઓમાં ! આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો ? શું શું સહન નથી કરતો ? આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું ? એ કેદી કેમ બન્યો ? અને એ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે ? માનવ પાસે ત્રણ વસ્તુઓ છે : એક છે દેહ, બીજું છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છે: દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા પ્રકારની છે. તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમાંથી કઈ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે છે. તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે. માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદ્ગલ પ્રધાન હોય છે; માનવ ૩૯૯ % માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy