SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે મન-પ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે, અને માનવ, જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે, ત્યારે એ દિવ્યતા-પ્રધાન હોય છે. એટલે એનામાં આ ત્રણ તત્ત્વો પડેલાં છે; એક તત્ત્વ પાશવતાનું, બીજું તત્ત્વ માનવતાનું અને ત્રીજું તત્ત્વ દિવ્યતાનું. માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે, ત્યારે વિષયોનું પુદ્ગલનું તત્ત્વ પ્રાધાન્ય લઈ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે એને આપવા માટે, તે કામે લાગી જાય છે. અને પછી તો તમે જાણો છો કે એક વાર પાશવતાનું આ સામ્રાજ્ય જ્યાં છવાઈ જાય છે, પછી તો આ દેહ, પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા ન કરવાનાં કામો કરે છે. દાખલા તરીકે, માનવીએ આંખે ન જોવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા, ન કરવાનું કર્યું. માણસના આવા અનિયંત્રિત વ્યવહારને સમાજ સહી શકતો નથી. એટલે સમાજ એને પીટે છે, પકડે છે અને સરકારને આધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી; સમાજમાં એણે વ્યભિચાર અગર દુરાચારનો માર્ગ આદર્યો છે; એની આંખ કાબૂમાં આવે એટલા માટે, થોડા દિવસ એને આ દીવાલ પાછળ રાખો અને સજાની લગામ દ્વારા એને ઠેકાણે લાવો. - આવી જ રીતે, કોઈને કંઈક ખાવાનું મન થાય છે. મીઠાઈ જોઈ એના મોંમાં પાણી છૂટે છે. તે વખતે તેને તરત એમ થાય છે કે ‘હું આ લઈ લઉં ?’ પણ જો એનામાં મનન હોય તો તરત જ વિચાર આવે, કે મારી પાસે પૈસા ન હોય તો લેવાય જ કેમ ? આને બદલે, કોઈ માણસ એમ વિચાર કરે કે “કંઈ નહિ, પેલો બહાર ગયો છે; લાવને થોડી મીઠાઈ લઈ લઉં !” અને એ લેવા જતાં જો એ પકડાય તો સમાજ કહેશે કે એની જીભ એના કાબૂમાં નથી; જીભનો દોરવાયેલો એનો હાથ એ લેવા જાય છે એટલે, હાથના અને જીભના દોષથી એના દેહને દંડ મળે છે. આ રીતે જો આપણે વિચાર કરીશું તો આપણને આ સજા કરાવનારું કોણ છે, તે આપણને તરત જડી આવશે. તમે જોઈ શકશો કે આપણી દેહજન્ય, અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ સજા કરાવે છે; આપણા દેહમાં પડેલાં દાનવતાનાં આ લક્ષણો જ આપણને આમ હેરાન કરે છે. પણ આપણે જો એના ઉપર કાબૂ મેળવી શકીએ તો હું માનતો નથી કે દુનિયામાં આપણને પછી કોઈ પણ હેરાન કરી શકે. Jain Education International બંધન અને મુક્તિ * ૩૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy