SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પાંચ ઇન્દ્રિયો કે જે આપણા દેહનાં સાધનો છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી કામ લે છે, કોઈક વાર એ મોઢા પાસેથી કામ લે છે; કોઈક વાર એ કાન પાસેથી કામ લે છે; કોઈક વાર એ નાક પાસેથી કામ લે છે; અને કોઈક વાર એ હાથ પાસેથી કામ લે છે; આમ આ પાંચે ઇન્દ્રિયો, ખરી રીતે તો આપણામાં રહેલી વૃત્તિઓના માત્ર નોકરો છે. બીજું તત્વ છે – મન આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવીની માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધ-જાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની એવી સીમા ઉપર એ હોય છે કે એ કાળે આ બાજુ ધક્કો વાગે તો આ બાજુ પર પડે, અને પેલી બાજુ જરાક ધક્કો વાગે તો તે બાજુ પડે. આમ, મન જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય. મન જ્યારે નિદ્રા-અવસ્થામાં હોય, તે વખતે પેલું પાશવતાનું તત્ત્વ, મન દ્વારા કામ લેવા માંડે છે અને મન એ તરફ ઢળી જાય છે, અને વશ બની જાય છે. પણ જે લોકોની પાસે સારાં પુસ્તકોનું વાંચન છે, જે લોકોની પાસે મહાપુરુષોનાં વચનોનું બળ છે. જેમની પાસે સુંદર એવા વિચારો છે, તે લોકો જાગતા છે. તેમની ઇન્દ્રિયો જો એમની પાસે કાંઈ માંગણી કરશે તો એમનું મનન તરત કહેશે : “તારે જોઈએ છે એ વાત ખરી; પરંતુ તે જે રીતે લઈશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે; એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો એ સમજાવે, તો પેલી ઇન્દ્રિયો સમજી જશે કે આ માણસ તો જાગે છે, એટલે આપણે અહીં નહિ ચાલે અને આમ એ આપોઆપ શાન્ત થઈ જશે. એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહજન્ય તત્ત્વો છે, તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જાતની માંગણી કરે ત્યારે તમે એને પૂછજો કે આ માગણી હું પૂરી તો કરું પણ એનું પરિણામ શું ? તમે જો આટલો પ્રશ્ન એને કરશો તો તમે અવળે માર્ગે અટવાઈ જતાં અટકી જશો એટલે કોઈ પણ વિચાર આવે, એને અમલમાં મૂકતાં પહેલાં ગળતાં શીખો. જો તમે વિચારને ગળશો તો કચરો બાજુ પર રહી જશે અને વિચાર શુદ્ધ થશે. પછી તમે સમાજમાં કલ્યાણમય, મંગલમય ૩૯૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy