SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અને શાન્તિમય વ્યક્તિ બની જશો. પણ જો વિચારને ગળે નહિ અને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે તો એને અનેક હેરાનગતિ અને દુઃખ સહન કરવાં પડે છે. મનકે હારે હાર હૈ, મન કે જિતે જીત મન ચડાવે સ્વર્ગ મેં, મન બનાવે નીચ.” આત્માનો ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલોની પાછળ કેર્દી છે કે એનો ખોરાક એને મળતો નથી. પાંચ ઇન્દ્રિયોનાં બારી-બારણાંમાંથી જે ખોરાક આવે છે તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માને સ્વસ્થ રહેવા નથી દેતો. એટલે આપણી પ્રથમ આવશ્યકતા એ છે કે કર્મકાંડ અને વૃત્તિઓની દીવાલમાં પુરાયેલ, આત્માની દિવ્યતાને પુનઃ પ્રતિષ્ઠિત કરવી. એ ન ભૂલતા કે જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. તો તમે પૂછશો કે માનવી શા માટે અહીં આવેલો છે ? એની જે દિવ્યતા છે, એનું જે પ્રકાશમય તત્ત્વ છે, એનું જે પ્રેમમય તત્ત્વ છે તેને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે. આ તત્ત્વોને પૂર્ણ કક્ષાએ વિકસાવવાની પ્રબળ ઇચ્છાવાળો માનવ, ભલે ગમે ત્યાં જીવતો હોય એ કદાચ વનવગડામાં જીવતો હોય, એ કદાચ શહે૨માં જીવતો હોય, એ કદાચ ગામડામાં જીવતો હોય. એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ દીવાલોની બહાર જીવતો હોય આ દિવ્યતા વિકસાવવાનું કામ બધે ઠેકાણે શક્ય છે; એને માટે માત્ર જાગૃતિ જોઈએ. માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ આ બધા સદ્ગુણોને જો કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુક્ત બનતો જાય છે. એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનોમાં, આત્મા અને દેહની એ વાતો કરતા, એટલે લોકો એમનું આ તત્ત્વજ્ઞાન રસપૂર્વક સાંભળતા હતા. એક શેઠ પણ દરરોજ એ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને વિચાર આવ્યો : ‘મહારાજ બધાયને માટે મુક્તિની વાતો સંભળાવે છે, તો પછી મારી મુક્તિની વાત કેમ ન જાણી લઉં ? હું પણ એક પિંજરામાં પુરાયેલું પંખી છું, દેહમાંથી છૂટવાની વાત તો દૂરની થઈ, પરંતુ આ પાંજરામાંથી શી રીતે છૂટવું ? Jain Education International બંધન અને મુક્તિ * ૩૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy