Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 12
________________ ૮ શુક વિચાર–શુક્ર જે દિશામાં ઉગે છે તે દિશા સન્મુખ નામ છે. શ સન્મુખ તથા જમણે વર્ષે કહ્યો છે. ' શુક્ર સન્મુખ– રેવતી નક્ષત્રથી કૃતિકાના એકપદ સુધી શુક્ર સુમુખનો દોષ નથી. રાહુ વિચાર– રાહુ સૂર્યોદયથી આરંભીને દિવસે અને રાત્રે અર્થે અર્થે પહેર નીચે આપેલ દિશા અને વિદિશામાં કમથી ચાલે છે. પૂર્વ, વાયવ્ય, દક્ષિણ, ઈશાન, પશ્ચિમ, અગ્નિ, ઉત્તર અને નૈઋત્ય તે રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભકારક છે. રાહુનું વાર ગમન-રવિવારે નૈઋત્ય, સેમવારે ઉત્તર, મંગળવારે અમિ, બુધવારે પશ્ચિમ, ગુરુવારે ઈશાન, શુક્રવારે દક્ષિણ અને શનિવારે પૂર્વમાં હોય છે. રાહુ ગમન કરનારની પછવાડે અથવા ડાબી બાજુએ શુભ છે. પ્રયાણમાં શુભ તિથિ-૧-૨-૩-૫-૭-૧૦-૧૧ અને ૧૩. ૧-૪--૮ તિથિ સિવાય. શુભ નક્ષત્ર-પુષ્ય, અશ્વિની, મૃગશીર્ષ, રેવતી, હસ્ત, પુનર્વાસુ, શ્રવણ, અનુરાધા, ધનિષ્ઠા. મધ્યમ નક્ષત્ર–હિણી, ત્રણ ઉત્તર, ત્રણ પૂર્યા, શતિભિષા, જયેષ્ઠા, અને મળ. શુભ વાર–સોમ, ગુરુ, શુક્ર અને બુધવારે. પ્રયાણ –અભિજીતમાં પ્રયાણું શ્રેષ્ઠ છે. અભિજીત–ઉત્તરષાઢા નક્ષત્રને ચે પાદ તથા શ્રવણ નક્ષત્રની પહેલી ચાર ઘડી અભિજીત કહેવાય છે. ફાંકડુ અથવા ચોથાનું ઘર-વિહાર તથા પ્રવેશમાં વળે છે. તે આ પ્રમાણે-એકમ શનિવાર, બીજ શુક્રવાર, ત્રીજ ગુરુવાર, ચેથ બુધવાર, પાંચમ મંગળવાર, છઠ સોમવાર અને સાતમ ને રવિવાર. નગર પ્રવેશ-હસ્ત, અશ્વિની, ચિત્રા, અનુરાધા, ઉત્તર ત્રણુ, હિણી, પુષ્ય, મૃગશીર્ષ, મળ અને રેવતી નક્ષત્ર; સેમ, બુધ, ગુરુ, શુક્ર અને રવિવાર શુભ છે. વિદ્યારંભનું મુહૂર્ત –ગુરુ, બુધ, શુક્ર અને રવિવારે; અશ્વિની ત્રણે, પૂર્વા, હસ્ત, મૂળ, ચિત્રા, સ્વાતી, શ્રવણ, ધનિષ્ઠા, શતતારકા, મૃગશીર્ષ, અદ્ર, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા; આ નક્ષત્ર વિદ્યારંભ માટે શ્રેષ્ઠ છે. - જ્ઞાનની વૃદ્ધિ કરનાર નક્ષત્રો-મૃગશીર્ષ, આદ્ધ, પુષ્ય, ત્રણ પૂર્વી, મૂળ, આશ્લેષા; હસ્ત અને ચિત્રા. - નંદીનું (નાંદ માંડવાનું) મુહૂર્ત-રવિ, સેમ, બુધ, ગુરુ, કે શુક્રવાર પકી કોઈ વારે; રવાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, હસ્ત અશ્વિની, અભિઋત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતો/ રહિણી અને ત્ર ઉત્તરામાંથી કોઈ નક્ષત્ર હોય તે વચ્ચારણાદિ ક્રિયા માટે નાંદ માંડવી. શાંતિક પૌષ્ટિક કાર્ય–બુધ, ગુરુ, શુક્ર અને રવિવારે-રોહિણી, મૃગશીર્ષ, મધા, ઉ. ફાગુની, હસ્ત, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉત્તરષાઢા, ઉ. ભાદ્રપદ, રેવતી, અશ્વિની, પુર્નવસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રોમાં કરવું. લોચનાં નક્ષત્રોઃ–પુનર્વસુ, પુષ્ય, શ્રવણું અને ધનિષ્ઠા શુભ છે. કૃતિકા, વિશાખા, મધા અને ભરણી વર્યું છે. બાકીનાં નક્ષત્રો મધ્યમ છે. શનિવાર, મંગળવાર, વજર્યું છે. અને રિક્તા તિથિ તથા ૬, ૮, ૦)) તિથિ વન્ય છે. વાસ્તુ પ્રારંભ –એટલે સુત્રપાત તથા ખાતમહૂર્ત માટે વિશાખ, શ્રાવણુ, માગસર, પોષ અને હાથન લેવાના કહે છે, બીજાની મનાઇ કરે તે. દેવાલય ખાતઃ-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્નિ કાણુમાં ખાત; મિથુન, કર્ક, સિંહ, એ ત્રણ સદૈતિમાં વાયવ્ય કોણમાં ખાત; કન્યા, કુંભ એ ત્રણ સંક્રાંતિમાં ઇશાન કેણમાં ખાત; ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં નnય કેશુમાં ખાતે; ખાતામાં, મૃગશીર્ષ અનુરાધા, ચિત્રા, રેવતી, ત્રણ ઉત્તરા, રેઢિણી, હસ્ત, પુષ્પ, ધનિષ્ઠા, શતભિષા અને શવાતી નક્ષત્રમાં લેવાં. શિલા સ્થાપનઃ-પુષ્પ, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્ર થાય છે. પૃથ્વી બેઠી છે કે સુતી છે એ જોવાની રીત:-સુદ ૧ થી તિધિ, રવિવારથી વાર અને અશ્વિનાથી નક્ષત્ર ગણી, ત્રણેને સરવાળો કરી, ત્યારે ભાગતાં જો ૧ શેષ રહે તે પૃથ્વી ઉભી. બે શેષ રહે તે બેઠી, ત્રણ શેષ રહે તો સૂતી અને શૂન્ય શેષ રહે તે જાગતી જાણવી, ઊભી અને જાગતી ખરાખ; બેઠી અને સુતી સારી; અને કુવો ખોદાવવામાં સુતી સારી જાવી.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122