Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 119
________________ સુધરવા માટે વૈશાખ સુધીની વાર સમજવી, સ્વભાવમાં જરા ચીડીઆ પણું આવવાથી આ રાશિવાળા ગમે તેની સાથે શરૂઆતમાં તકરાર કરી બેસૅ અને ભલે કદાચ વે પરંતુ પછી ભૂલને માટે પસ્તાવાનો વખત આવે, આવું પહેલાં માસ રહે, જ્યારે પછી તે દરેક ક્ષેત્રે તેમની સારી પ્રગતિ થશે. ૧૫ મી નવેમ્બર સુધી શુક્રની દિન દશામાં ઉપર ઉ૫રને ભપકે વધારે રાખવાનું મન થાય. પરંતુ શારીરિક અશકતી પ્રગતિમાં અંતરાય રૂપ થાય. કરેલા વધુ ખર્ચ માટે જરા પસ્તાવું પડે. ૧૫ મી નવેમ્બરથી સૂર્યની દિન દશામાં ધંધા રોજગારમાં સારી પ્રગતિ થાય, વિદ્યાથી ઓને નો જ ઉત્સાહ પ્રાપ્ત થાય. ૫ મી ડીસેમ્બરથી ચંદ્ર દશામાં દોડધામ વધુ કરવી પડે. ૨૪ મી જાન્યુ. થી મંગળની દિન દશામાં ઉ૯લાસ અને ઉત્સાહ વધે. બીજાઓને પાછા પાડી આગળ વધવાનું મન થાય. અને તેને માટે કુદરત પણ અનુકુળ વાતાવરણ કરી મુકે. ધનાગમ પણ સારો થશે. * ૨૧ ફેબ્રુઆરીથી બુધની દિનદશામાં હવે જરા આરોગ્ય તરફ વધુલક્ષ આપવા જેવું છે બાકી ધંધા માટે તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સમય સારો જણાશે. ૧૭ મી એપ્રીલથી શનિની દિનદશામાં કોઈની સામે બેટું વૈમનસ્ય થવાનો ભય છે. ૨૫ મી મેથી ગુરૂની દિનદશામાં ધનલાભ સારે થાય ધંધા તેમજ વિદ્યાની પ્રાપ્તી માટે નવી યોજના હાથ ધરાય. ૨૪ મી જુલાઈથી રાહુની દિન દશામાં પોતાની પ્રવૃતિઓમાં કુદરતી અંતરાય આવે કઈ વડીલને માંદગી આવે. ૬ ઠી સપ્ટેમ્બરથી શુક્ર દશા તેમાં વિદ્યાવિદ, ભજનને આનંદ, સ્વજનેના મેળાપનું સુખ વિગેરે ફલ મળે અને આનંદપૂર્વક પસાર થાય. ન ધન (ભ, ધ, ફ, ઢ) રાશિવાળા માટે આ વર્ષે જરા વિચિત્ર અનુભવ કરાવે. જો કે વર્ષની શરૂઆતમાં તે પિતાને વા સ્ત્રીને માંદગી તેમજ ધંધાની અને અન્ય પ્રવૃત્તિઓમાં મુશ્કેલીઓ આવે છતાં પિતાનો દોષ ન લાગે અને પ્રતિતિ થાય કે પુરૂષાર્થ કરતાં પ્રારબ્ધ બળવત્તર અને વિધિની સામે પુરૂષાર્થ નાકામીયાબ નિવડે છે. વિદ્યાર્થીઓને શરૂઆતમાં બાહ્ય અંતરાયોને લીધે અભ્યાસમાં ખલેલ, તે મધ્યમાં માંદગીને લીધે ખલેલ પડે તેમ સૂચવે છે. આ રાશિવાળાને પતી ચાલુ જ રહેવાની, ફેર એટલો જ કે માત્ર [ ૧૧૫ છાતીએથી પગે આવે છે. વર્ષની શરૂઆતમાં ૧૫મી ડીસેમ્બર સુધી શુક્રની દશા સુધી તે આશાવંત વાતાવરણ રહે. જુના તુટેલા સંબંધે સંધાય. ૫ણુ પરિશ્રમના પ્રમાણમાં ઠીક ઠીક સફળતા મળતી રહે. ૧૫ ડીસેમ્બરથી સૂર્યની દિનદશામાં શુભાશુભ સમાચાર સાંભળવા મળે. નવું માર્ગદર્શન નહિ થવાથી માનસીક બેચેની વધે, ૪ થી જાન્યુઆરીથી ચંદ્રની હિનદશામાં વેપારીઓને જરા દોડધામ વધુ થાય. કામને જે વધવા સાથે થોડી કુટુંબીક ઉપાધી વધે. ૨૨ ફેબ્રુ.થી મગલની દિનદશામાં વેપારીને ધનલાભ સારો થાય, નવું સાહસ ખેડવાને સારી તક મળે. ૨૨ મી માર્ચથી બુધની દિનદશામાં કેઈની સાથે મિથા વૈમનસ્ય થાય. પરંતુ પોતાના કાર્યોમાં સફળતા મળે. - ૧૮ મી મેથી શનિની દિનદશામાં મુસાફરી થવાને વેગ છે, ખર્ચનું પ્રમાણ વધે. ૨૬ મી જુનની ગુરૂની દિનદશામાં નાણાંભીડ ઓછી થાય, પરતુ કુટુંબમાં કોઈને માંદગી આવે યા અન્ય ઉપાધી સૂચવે છે. ૨૪મી ઓગસ્ટથી રાહુની દિનદશામાં ખેટા કજીઆમાં ઉતરવું પડે, કઈ કામકાજમાં મન ન ચેટ અને આળસુ બની જવાય તેવું છે માટે હિંમત હાર્યા વિના ખંતથી કામ કર્યું જવું. - ૬ ઠી ઓકટોબરથી શુક્રની દિનદશામાં ઉન્નતિ માટે કોઈ નવી દિશા તરફ વળર્વાનું મન થાય છતાં જે વિચાર કર્યા વગર ઝંપલાવ્યું તે નુકશાન થશે માટે વિચારીને સાહસ ખેડવું. મકર (ખ જ ) આ વર્ષમાં પતિ ચાલુ છે, તદુપરાંત રાહુ તે ભ્રમણ કરવાને, જે માંદગી અને મુશ્કેલીઓમાં નાણાને દુર્વ્યય કરાવે. કુટુંબીજનોમાં પણ પરસ્પર ઉંચા મન થાય, માત્ર ગમે તે રીતે પિતાનું પ્રભુત્વ વર્ષની શરૂઆતમાં જળવાઈ રહેશે. બાકી વર્ષની આખરમાં તે પહેલાં કરેલ ભૂલોને લીધે પસ્તાવા વખત આવે તેવું છે. માટે આ રાશિવાળાઓએ પિતાની બુદ્ધિથી ચાલવા કરતાં વડીલો અને હીતેચ્છુઓને માર્ગદર્શન નીચે પિતાના તમામ કામકાજ કરવા સલાહ છે. તે પોતે સમાજમાં પિતાને મળે અને સ્થાન સારી રીતે ટકાવી શકશે. ૫મી નવેમ્બર સુધી રાહુની દિનદશામાં કાઈ સ્વજનને માંદગી આવે. ૫ મી નવેમ્બરથી શુક્રની દિનદશામાં વ્યયનું પ્રમાણ વધે અને ધંધામાં પણ નાણાભીડ વેઠવી પડે, તેમ છતાં

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122