Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 15
________________ ભદ્રા હોય છે અને વદ પક્ષમાં ત્રીજ અને દશમીની રાત્રિએ (પશ્ચિમ દળમાં) અને સાતમ તથા ચૌદશે દિવસે (પૂર્વ દળમાં) ભદ્રા હોય છે. રાત્રિની ભદ્રા જે દિવસે હોય અને દિવસની ભદ્રા જે રાત્રે હોય તો તે વખતે ભદ્રાને દોષ નથી. વિષ્ટિ (ભદ્રા) સ્થાન-મેષ, વૃષભ, મકર, અને કર્કના ચંદ્ર હેય ત્યારે વિષ્ટિ (ભદ્રા) સ્વર્ગમાં; કન્યા, મિથુન, ધન અને તુલાના ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ પાતાલમાં; અને કુંભ, મીન, વૃશ્ચિક અને સિંહના ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ મનુષ્ય લેકમાં રહે છે. સ્વર્ગમાં તથા પાતાલમાં વિષ્ટિ હોય તે સુખાકારી અને મનુષ્ય લોકમાં હોય તો દુઃખદાયી જાણવી. કે ચંદ્રની બાર અવસ્થા—૧ પિતા, ૨ હતા, ૩ મૃતા ૪ જયા, ૫ હાયા, ૬ હર્ષ, ૭ રતિ, ૮ નિદ્રા, ૯ ભક્તિ, ૧૦ જરા, ૧૧ ભય, ૧૨ સુખિતા; તેમાંથી પ્રેષિતા, હતા, મૃતા, નિદ્રા, જરા અને ભય એ છ અવસ્થા ખરાબ છે. . આ અવસ્થાને કમ-મેષની પહેલી અવસ્થા પ્રાષિતા, વૃષભની પહેલી હતા. મિથુનથી પહેલી મૃતા એ પ્રમાણે સમજવો. વર્ગ સ્વામી વગર મિત્રી આ ઈ, ઉ, એ, ઓ, ગરૂડ ક, ખ, ગ, ઘ, ફ માર એ. છ. જ. ૪. એ. . દડ, ઢ, ણ. તથ, દ, ધ, ન. સ ગરેડ ૫ ફ, બ, ભ, મ. મૂષક માર ૫. ૨. લ. વ. - મૃગ જ. ષ. સ. હ. – મેષ શ્વાન આ વર્ગોમાં પરસ્પર પાંચમે પાંચમો વર્ગ વજેવા ગ્ય છે. અભિષેકના નક્ષત્રો-શ્રવણ, જ્યેષ્ઠા, પુષ્ય, અભિજીત, હસ્ત અશ્વિની, રાણિી , ત્રણ ઉત્તરા, મૃગશીર્ષ, અનુરાધા અને રેવતી એ નક્ષત્રમાં શુભ છે. અભિજીતમાં પ્રયાણ શ્રેષ્ઠ છે. * નક્ષત્ર શૂળ –જા , પૂ. પાઢા, ઉ. વાઢા, પૂર્વ દિશામાં નક્ષત્ર શૂળ;૧૧ વિશાખા, શ્રવણ, ધનિષ્ઠા, પૂ. ભાદ્રપદ, દક્ષિણ દિશામાં નક્ષત્ર શાળ; રહિણી, મળ, પશ્ચિમ દિશામાં નક્ષત્ર શુળ; ઉ. ફાગુની, ઉત્તર દિશામાં નક્ષત્ર શૂળ, રિફથી સન્મુખ હોય ત્યારે તે દિશામાં ગમન કરવું નહિ. પ્રવેશ અને પ્રયાણ નવમે દિવસે નિષેધ છે. ક, વૃશ્ચિક અને મીન રાશિના લગ્નમાં તથા નવમા નવમાંશમાં પ્રયાણ કરવું નહિ. બાળકને પ્રથમ ચલાવવાનું તથા પ્રથમ ભજનનું મુહૂર્ત બાળકને તથા નવા દીક્ષીત સાધુને મૃ, ધ્રુવ, ક્ષિક, અને ચર નક્ષત્રમાં પ્રથમ હિંડન તથા ભેજન (ગોચરી ચર્યા) શુભ છે. બાળકને અશન (ભજન) છ મહિને કરાવવું અને પૂર્વનાં મૃદુ વગેરે નક્ષત્રમાંથી સ્વાતિ અને શતભિષા સિવાયનાં બીજાં નક્ષત્ર લેવાં. નવાં પાત્રો વાપરવાનું મુહૂર્ત – અશ્વિની, ચિત્રા, અનુરાધા, રેવતી, મૃગશીર્ષ, હસ્ત, પુષ્ય નક્ષત્રમાં તથા ગુરૂ અને સેમવારે નવાં પાત્ર વાપરવાં શુભ છે. ક્ષૌરનું મુહૂર્ત-શુભવારને દિવસે રિક્તા, છઠ, આઠમ, અને અમાવાસ્યા સિવાયની તિથિઓ; ચર નક્ષત્રો અને ચિત્રા, જ્યેષ્ઠા, અશ્વિની, પુષ્ય, રેવતી, હસ્ત, તથા મૃગશીર્ષ નક્ષત્રમાં બાળકનું પ્રથમ મુંડન તથા નવીન સાધુને પ્રથમ લેચ કરવો. મૌજીબંધ-(ઉપનયન)નું મુહૂર્ત-મજીબંધનું કર્મ બ્રાહ્મણને ગર્ભથી અથવા જન્મથી આઠમે વર્ષે થાય છે. ક્ષત્રિયને અગિયારમે વર્ષે અને વૈશ્યને બારમે વર્ષે થાય છે. બ્રાહ્મણને દસમે વર્ષે પણ મૌજીબંધ કરવામાં આવે છે. નવા વસ્ત્ર અલંકાર પહેરવાનું મુહૂર્ત-હસ્ત, ચિત્રા, સવાતી. • વિશાખા, અનુરાધા, ધનિષ્ઠા, અશ્વિની અને રેવતી એ નક્ષત્રોમાં મગળ, ગુરૂ, શુક્ર અને રવિવારે ધારણ કરવા શુભ છે. ઔષધ ખાવાનું મુહૂર્ત-મૃર્ગશીર્ષ, શતભિષા, અનુરાધા, ધનિષ્ઠા, શ્રવણ, રેવતી, પુષ્ય, અશ્વિની, મૂળ, હસ્ત, ચિત્રા, પુનર્વસુ, અને સ્વાતીએ નક્ષત્રોમાં; ભવાર તથા રવિવાર સારે છે. સિંહ શ્વાન મે,

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122