________________
૮પ
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૨૬ ટીકા -
नृपस्येति-नृपस्येव-तथाविधनरपतेरिव, अभिधानात्=राजाऽयमिति भणनरूपात्, यः सातबन्धः सुखसंबन्धरूपः प्रकीर्तितः नित्येऽप्यात्मनि परैः, अहिनाऽदष्टस्यापि तथाविधप्रघट्टकवशादहिशड्काविषज्ञानाच्चेतरः=असातबन्धः, असौ निरर्थकः, कल्पनामात्रस्यार्थासाधकत्वादेव । ટીકાર્ય :
નૃપચેવ .. સાથત્વાર્થ ! નિત્ય પણ આત્મા હોતે છતે પર વડે= પાતંજલદર્શનકાર વડે, રાજાની જેમ તેવા પ્રકારના રાજાની જેમ અર્થાત્ વાસ્તવિક રાજા નથી પરંતુ કોઈકે આ રાજા છે તેમ કહ્યું તે કથનથી પોતે રાજા છે તેવા પ્રકારના રાજાની જેમ, અભિધાનથી-આ રાજા છે એ પ્રકારના કથનથી, જે સુખસંબંધરૂપ સાતબંધ કહેવાયો છે; અને સાપથી નહિ દંશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી=કોઈ અંધારામાં સાપ સદશ દોરડા આદિ ઉપર પગના પ્રક્ષેપરૂપ તેવા પ્રકારના પ્રઘટ્ટકના વશથી, સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી ઈતર=અસાતબંધ, કહેવાયો છે; આ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલો સાતબંધ અને અસાતબંધ, નિરર્થક છે; કેમ કે કલ્પનામાત્રનું અર્થઅસાધકપણું જ છે જો આત્મા એકાંતે નિત્ય હોય તો તેને સુખસંબધિરૂપ સાતબંધ અને દુ:ખસંબંધરૂપ અસાતબંધ ન હોય, તો પછી સાતાબંધ આવો છે અને અસાતાબંધ આવો છે એ કહેવું નિરર્થક છે.
નિત્યેડપ્યાત્મન પરેડ - અહીં પ થી એ કહેવું છે કે આત્માને અનિત્ય માને તો તો આત્માને સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર સ્વીકારી શકે, પરંતુ નિત્ય પણ આત્મામાં સાતબંધ અને અસાતબંધ પાતંજલદર્શનકાર વડે કહેવાયેલ છે, એ નિરર્થક છે.
મહિનાષ્ટચાપ - અહીં પ થી એ કહેવું છે કે સાપથી દંશાયેલાને તો તથાવિધ પ્રઘટ્ટકવશ સાપની શંકા થાય, પરંતુ સાપથી નહિ દશાયેલાને પણ તેવા પ્રકારના પ્રઘટ્ટકવશ સાપની શંકાથી વિષનું જ્ઞાન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org