Book Title: Kleshhanopay Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 137
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૯ આશય એ છે કે જે યોગીને જ્ઞાન થાય છે કે સંસાર ક્લેશથી ભરપૂર છે અને ક્લેશનાશરૂપ મોક્ષ છે, માટે જો ક્લેશવગરની અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો ચરમક્લેશ નિષ્પન્ન કરવા માટે યત્ન કરવો જોઈએ, તે યોગીઓ શાસ્ત્રવચન અનુસાર તે પ્રકારનો યત્ન કરે છે જેથી જેના પછી ક્લેશ નથી એવા ચરમક્લેશને પ્રાપ્ત કરે છે. માટે ચરમક્લેશ તત્ત્વજ્ઞાનથી જન્ય બન્યું, તેથી ચ૨મક્લેશમાં તત્ત્વજ્ઞાનજન્યતા છે; અને ચ૨મક્લેશમાં ચરમદુઃખત્વ છે અને તે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાનો અવચ્છેદક છે, એમ નૈયાયિકો માને છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે ચરમદુઃખત્વ તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક પણ સંભવતું નથી. કેમ સંભવતું નથી ? તે શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે. શ્લોક ઃ चरमत्वं च दुःखत्वव्याप्या जातिर्न जातितः । तच्छरीरप्रयोज्यातः साङ्कर्यान्नान्यदर्थवत् ।। २९ । । ૧૧૦ અન્વયાર્થ: આ ઘરમન્વં=અને ચરમત્વ=ચરમદુ:ખત્વ દુ:સ્વત્વવ્યાપ્યા જ્ઞાતિનં દુ:ખત્વવ્યાપ્ય જાતિ નથી; ત—રીપ્રયોખ્યાત: ખાતિતઃ સાર્વા કેમ કે તત્ત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી અર્થાત્ જે સાધકને ચરમદુઃખની પ્રાપ્તિ થાય છે તે સાધકના શરીરથી પ્રયોજ્ય એવી જાતિથી, સાંકર્ય છે. અન્ય અન્ય=સમાતાધિકરણદુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમત્વ=ચરમદુઃખત્વ, અર્થવત્ ન= અર્થવાળું નથી=તત્ત્વજ્ઞાનજન્યતાવચ્છેદક સ્વીકારવા માટે ઉપયોગી નથી. ||૨૯૪૫ શ્લોકાર્થ : ચરમદુઃખત્વ દુઃખત્વવ્યાપ્ય જાતિ નથી; કેમ કે તત્ત્શરીરપ્રયોજ્ય એવી જાતિથી સાંક્ય છે, અન્ય-સમાનાધિકરણ દુઃખપ્રાગભાવ અસમાનકાલીનત્વરૂપ ચરમત્વ=ચરમદુઃખત્વ, અર્થવાળું નથી. ।।૨૯] ટીકા ઃ चरमत्वं चेति-चरमत्वं च दुःखत्वव्याप्या जातिः न तच्छरीरप्रयोज्यातो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164