Book Title: Katha Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ अथ कथाद्वात्रिंशिका प्रारभ्यते । વાદના નિરૂપણ પછી હવે તેની સમાન ક્યાનું નિરૂપણ કરાય છે - अर्थकामकथा धर्मकथा मिश्रकथा तथा । कथा चतुर्विधा तत्र, प्रथमा यत्र वर्ण्यते ॥९-१॥ આ પૂર્વેની આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. તત્ત્વના નિર્ણય માટેનું એ અદ્ભુત સાધન છે. ધર્મવાદથી ધર્મની વાસ્તવિક્તાનો જેમ નિર્ણય થાય છે; તેમ થાથી પણ ધર્મની વાસ્તવિકતાનો નિર્ણય થાય છે. એ અપેક્ષાએ વાદની સજાતીય(સમાન) કથા છે. તેથી વાદના નિરૂપણ પછી આ બત્રીશીમાં કથાનું નિરૂપણ કરાય છે. કથામાં વાદનું સામ્ય હોવા છતાં બીજી અનેક રીતે તેમાં ફરક છે. ‘વાદ’ શબ્દ સાંભળતાંની સાથે નિસર્ગથી જ ઉગ્રતા પ્રતીત થતી હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષો આંખ સામે આવતા હોય છે અને તેનો વિષય ધર્મ જ જણાતો હોય છે. કથામાં આવું હોતું નથી. નિસર્ગથી જ તેનું સ્વરૂપ સૌમ્ય હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષ હોતા નથી અને તેમાં વિષયો વિવિધ હોય છે. કથા શબ્દનો કોઈ અદ્ભુત પ્રભાવ છે કે જેના શ્રવણમાત્રથી જ અદ્ભુત રમણીય દશ્ય કલ્પનામાં ઉપસ્થિત થતું હોય છે. ઘરે ઘરે આવી થાઓ ચાલતી હોય છે. કેટલીક ક્થાઓ ખરેખર જ વ્યથાને હરી 純純純可 m/s/ ૧ BITTED BY D 教

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 66