________________
अथ कथाद्वात्रिंशिका प्रारभ्यते ।
વાદના નિરૂપણ પછી હવે તેની સમાન ક્યાનું નિરૂપણ કરાય છે -
अर्थकामकथा धर्मकथा मिश्रकथा तथा । कथा चतुर्विधा तत्र, प्रथमा यत्र वर्ण्यते ॥९-१॥
આ પૂર્વેની આઠમી બત્રીશીમાં વાદનું નિરૂપણ કર્યું. તત્ત્વના નિર્ણય માટેનું એ અદ્ભુત સાધન છે. ધર્મવાદથી ધર્મની વાસ્તવિક્તાનો જેમ નિર્ણય થાય છે; તેમ થાથી પણ ધર્મની વાસ્તવિકતાનો નિર્ણય થાય છે. એ અપેક્ષાએ વાદની સજાતીય(સમાન) કથા છે. તેથી વાદના નિરૂપણ પછી આ બત્રીશીમાં કથાનું નિરૂપણ કરાય છે.
કથામાં વાદનું સામ્ય હોવા છતાં બીજી અનેક રીતે તેમાં ફરક છે. ‘વાદ’ શબ્દ સાંભળતાંની સાથે નિસર્ગથી જ ઉગ્રતા પ્રતીત થતી હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષો આંખ સામે આવતા હોય છે અને તેનો વિષય ધર્મ જ જણાતો હોય છે. કથામાં આવું હોતું નથી. નિસર્ગથી જ તેનું સ્વરૂપ સૌમ્ય હોય છે. વાદી-પ્રતિવાદીના પક્ષ હોતા નથી અને તેમાં વિષયો વિવિધ હોય છે. કથા શબ્દનો કોઈ અદ્ભુત પ્રભાવ છે કે જેના શ્રવણમાત્રથી જ અદ્ભુત રમણીય દશ્ય કલ્પનામાં ઉપસ્થિત થતું હોય છે. ઘરે ઘરે આવી થાઓ ચાલતી હોય છે. કેટલીક ક્થાઓ ખરેખર જ વ્યથાને હરી
純純純可 m/s/
૧
BITTED BY D
教