Book Title: Jainagama Swadhyay
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Text Society Ahmedabad

Previous | Next

Page 381
________________ ૩૦ "समाभ्नायः समाम्नात:, स व्याख्यातव्यः' इति प्रतिज्ञातम् । सा च पुनरिय व्याख्या सामान्या वैशेषिकी च । तत्र सामान्या सर्वनाम्नामिद सामान्यलक्षणम् , इदमाख्याતાનામ, સુવાન, નિવતાનામિતિ......મથેરાની વિશેષ વ્યાયા, પ્રતિવઢમાં સમાનાયો ચારચાતયઃ”—નિરુપક્તીકા–દ્વિતીયાધ્યાય પંચમ ખંડ, પૃ૦ ૧૪૩ (આનંદાશ્રમ). વળી, અનુયોગમાં ઉપઘાતની ચર્ચા પ્રસંગે જે ઉદ્દેશાદિ વ્યાખ્યાકાર છે તેમાંનાં કેટલાંક તો એવાં છે જે જેનાગમને જ અનુકૂળ છે, પણ વેદ નિત્ય હેવાથી વેદના નિર્ગમ-કાલ–ક્ષેત્રાદિ જેવાં વ્યાખ્યાકારોને અવકાશ ન રહે તે સ્વાભાવિક છે. તેને બદલે દ્રષ્ટા ઋષિ, મંત્રની મુખ્ય દેવતા આદિની ચર્ચા તેમાં આવે છે. એટલે તેવાં દ્વારેની ચર્ચા વૈદિક વ્યાખ્યાગ્રંથમાં ન મળે તો તેમાં આશ્ચર્ય નથી; પણ એ સિવાયનાં જે કેટલાંક કારેનો વ્યાખ્યા ગ્રંથોમાં નિર્દેશ મળે છે તે તુલનીય છે. ન્યાયસૂત્રના વાસ્યાયનભાષ્યમાં શાસ્ત્રપ્રવૃત્તિ ત્રણ પ્રકારની બતાવી છે–– ઉદ્દેશ, લક્ષણ અને પરીક્ષા (ન્યાયભા૦ ૧.૧૨). આ ત્રણ ઉપરાંત વિભાગ પણ એક અંગ મનાતું હશે, કારણ કે તેના પાર્થકયની બાબતમાં પૂર્વપક્ષ કરીને ન્યાયવાતિ કકારે તેને સમાવેશ ઉદેશમાં કરી દીધો છે (ન્યાયવા ૧.૧.૩, પ્રમાણમીમાંસા ટિપ્પણ (સિંધી સિરીઝ પૃ. ૪). વળી, દુર્ગે વ્યાખ્યાનું જે લક્ષણ નૈવંદુકમાં સ્વીકાર્યું છે તેમાં તત્વ, પર્યાય, ભેદ=વ્યુત્પત્તિ, સંખ્યા, સંદિગ્ધદાહરણ, તેનું નિર્વચન–આટલાં દ્વારને સ્થાન છે (દુર્ગટીકા પૃ૦ ૧૪૩) આમાં જેને તવ કહેવામાં આવે છે તેને ઉદ્દેશને સમકક્ષ કહી શકાય. વળી, સ્વયં દુર્ગ ઉદેશ, નિર્દેશ અને પ્રતિનિર્દેશન ઉલ્લેખ યાસ્કની વ્યાખ્યાશૈલી માટે કરે છે–દ શાત્રે વ્યાયક્ષેત્રી રૂક્યા, उद्देशो निर्देशः प्रतिनिर्देश इति । तत्रोद्दश: सूत्रस्थानीयः । तद्यथा षड़ भावविकारा: इति । निर्देशो बृत्तिस्थानीयः । तद्यथा जायते-अस्ति विपरिणमते इति । प्रतिनिर्देशो વાર્તિવાની: 1 તથા નાચતે રૂતિ પૂર્વમાડ્યાદિમાગ્ર રૂતિ (દુર્ગટીકા પૃ૦ ૩૨). દુર્ગકૃત પ્રસ્તુત સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એવા ક્રમની તુલના આચાર્ય જિનભદ્ર અને આચાર્ય સંઘદાસે કરેલ–ભાષાસૂત્ર, વિભાષા=વૃત્તિ અને વાર્તિકની વ્યાખ્યા સાથે કરવા જેવી છે. આ ભાષા આદિનું વિવરણ આમાં આ પહેલાં (પ્ર. ૩૬–૩૮) આવી ગયું છે. તેથી અહીં એને વિસ્તાર કર અનાવશ્યક છે. વ્યાકરણ મહાભાષ્યના પ્રારંભમાં વ્યાપેય શાસ્ત્રનું નામ શું છે તે બતાવવામાં આવ્યું છે. તે જ પ્રમાણે અનુયોગમાં પણ વ્યાપેય શાસ્ત્રનું નામ જણાવ્યું છે. વળી, શાસ્ત્રના નામની વ્યાખ્યા મહાભાષ્યના પ્રારંભમાં જોવા મળે છે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455