Book Title: Jainagama Swadhyay
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Text Society Ahmedabad

Previous | Next

Page 404
________________ ૩૮૩ તાત્વિક આચાર એ ભાવ. વ્યવહારનય આવા દ્રવ્યને અને નિશ્ચયનય આવા ભાવને મહત્ત્વ આપે છે. આથી જ જે તત્ત્વદષ્ટિએ; એટલે કે યથાર્થની દષ્ટિએ અચિત્ત હતું તેને પણ લે કાચાર-વ્યવહારની સુગમતા અને વ્યવસ્થાની દષ્ટિએ સચિત્ત માનવામાં આવ્યું. આમ વ્યવહાર કાનુસરણ કરવા જતા અયથાર્થ તરફ પણ વળી ગમે છે. વ્યવહારનયનું આ વલણ બૌદ્ધોની સંસ્કૃતિ કે વેદાંતના વ્યવહાર સત્ય જેવું છે. પણ સાથે સાથે તેનું જે મૂળ વલણ તે પણ આ કાળમાં ચાલુ રહ્યું છે તેની નોંધ પણ લેવી જોઈએ. વળી, નિશ્વય પણ આ કાળે પરમાર્થ કે તત્ત્વ તરફ જઈ રહ્યો છે, એટલે કે તે વ્યવહારથી સાવ છૂટો થવા જઈ રહ્યો છે. વળી, લેકવ્વહારમાં ભાષા મુખ્ય ભાગ ભજવે છે અને ઘણીવાર ભાષા તત્વથી જુદું જ જણાવતી હોય છે. પણ લેકે વિચાર કર્યા વિના અતાત્વિકને તાવિક માની વ્યવહાર ચલાવતા હોય છે. આ પ્રકારના અતાત્ત્વિક વ્યવહારને સ્થાને તાત્વિક વાતની સ્થાપના એ નિશ્વયનો ઉદ્દેશ બને છે. આથી કહી શકાય કે લોકનું એટલે સમાજનું, બહુજનનું સત્ય એ વ્યવહારનય, પણ કઈ વિરલ -વ્યક્તિ માટેનું સત્ય તે નિશ્વયનય છે. એ બે વચ્ચે આવો ભેદ આ કાળમાં સ્પષ્ટ થાય છે. ૫. ભાગ્યોમાં વ્યવહાર અને નિશ્ચય લોકવ્યવહારપરક અને પરમાર્થ પરક વ્યવહાર અને નિશ્ચયનયની આગમગત ભૂમિકામાં આપણે જોઈ ગયા છીએ કે એક સ્કૂલગામી છે અને બીજે સૂક્ષ્મગામી છે. આ જ વસ્તુને લઈને આચાર્ય જિનભદ્દે સ્પષ્ટીકરણ કર્યું છે કે વ્યવહારનય એ લેકવ્યવહારપરક છે અને નિશ્ચયનય એ પરમાથપરક છે. આ વસ્તુને નિર્દેશ તેમણે ભગવતીસૂત્રગત ઉદાહરણ આધાર લઈને જ કર્યો છે– "लोगव्ववहारपरो ववहारो भणइ कालओ भमरो । परमत्थपरो भणइ णेच्छइओ पंचवण्णोत्ति ॥" –વિશેષા ગા૦ ૩૫૮૯ આચાર્ય જિનભદ્ર કેવળ વ્યવહારને જ નહિ, પણ મને પણ લેકવ્યવહાઉપરક જણવ્યો છે– મવવા રોકવવારતા” વિશેષા ૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455