Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સંયોગનું અંતિમ સ્વરૂપ વિયોગ અને જન્મનું અંતિમ ચરણ મરણ છે. આ બંને અપરિહાર્ય ધ્રુવ છે, જે ટાળી શકાતા નથી. જે અવશ્ય ભાવી છે, તેના માટે ચિંતિત થવું વ્યર્થ છે. તમે અમારિની ઘોષણા અને જિનશાસનની શ્રદ્ધાપૂર્વક અપૂર્વ સેવાથી ઈહલોક અને પરલોક સુધાર્યો છે. તમે પણ થોડા સમયમાં જ મારું અનુકરણ કરવાના છો, એટલે ચિંતાનો પૂર્ણતઃ પરિત્યાગ કરી શેષ-જીવનમાં જિનશાસનની સેવાનાં કાર્યોમાં જોડાઈ જાવ.” આ રીતે મહારાજા કુમારપાળ, પોતાના શિષ્યવર્ગ અને ઉપાસકવૃંદને ધર્મમાં તત્પર રહેવાનો ઉપદેશ આપી આચાર્ય હેમચંદ્રસૂરીએ વિ. સં. ૧૨૨૯માં સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
કુમારપાળે પૂર્ણ રાજકીય સન્માનની સાથે આચાર્ય હેમચંદ્રસૂરિના પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર કર્યો અને એમની ચિતાની ભસ્મ લઈને પોતાના કપાળે શ્રદ્ધાપૂર્વક તિલક કર્યું. રાજાનું અનુસરણ કરતાં સામંતો, મંત્રીઓ અને અંતિમક્રિયામાં ઉપસ્થિત હજારો નાગરિકોએ પણ ચિતા ઠંડી પડી ગયા પછી ચોથા દિવસથી જ ચિતાની ભસ્મનું પોતાના કપાળે તિલક કર્યું, પરિણામે ચિતાસ્થળે ઊંડો ખાડો થઈ ગયો અને એ ખાડાને અણહિલપુર-પાટણના નિવાસીઓએ જહેમખંડ”નામ આપ્યું.
હેમચંદ્રાચાર્યના વિયોગમાં બંને આંખોથી વહેતી અશ્રુધારાએ કુમારપાળે પોતાના સામંતો અને સચિવોને શોકાતુર કંઠે કહ્યું :
મને દુઃખ તો કેવળ એ વાતનું જ છે કે રાજપિંડનો સદાય પરિહાર કરનાર મારા ગુરુદેવને હું અન્ન તો દૂર, મારા ત્યાંનું પાણીનું એક ટીપું પણ સમર્પિત ન કરી શક્યો.”
આ રીતે પોતાના પરોપકારી ગુરુવર આચાર્ય હેમચંદ્રનું સ્મરણ કરતાં કરતાં કુમારપાળ એમના બતાવેલા માર્ગ પર અહર્નિશ જિનશાસનની સેવામાં મગ્ન રહેવા લાગ્યા. અંતે વિ. સં. ૧૨૩૦માં પરમહંત કુમારપાળે સમાધિપૂર્વક પોતાનાં પાપોની આલોચના કરી પરલોકે પ્રયાણ કર્યું. ૧૫૪ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)