Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ મુખ્ય ઘટનાઓ અને તથ્યોએ આવરી લેવાના અને ઇતિહાસ જેવા વિષયને સંક્ષિપ્ત કરવાનું કામ આસાન ન હતું. મૂળ ઇતિહાસગ્રંથમાંથી જ નવનીતરૂપ વિવરણ કાઢીને, સંકલન કરીને, આ સંક્ષિપ્તીકરણ કરવામાં આવ્યું છે. ગ્રંથનું કદ વધી જવાના ભયથી ઐતિહાસિક તથ્યો, જેવાં કે શિલાલેખ સંદર્ભ, ગ્રંથ સંદર્ભ, ઇતિહાસકાર સંદર્ભ આદિનો ઉલ્લેખ આ સંક્ષિપ્તીકરણમાં કરવામાં આવ્યો નથી. જિજ્ઞાસુ વાચકો આ સંદર્ભોને મૂળ ઇતિહાસગ્રંથમાં જોઈ શકે છે. ગ્રંથના આ ચતુર્થ ભાગના હિન્દી સંક્ષિપ્તીકરણનું કાર્ય સુરતનિવાસી તપસ્વી શ્રાવક જયવંતભાઈ પી. શાહ, બી. ઈ. સિવિલ (નિવૃત્ત અધીક્ષક અભિયંતા ગુજરાત સરકાર) દ્વારા અથાક પરિશ્રમથી સંપન્ન થયું. સામાયિક અને સ્વાધ્યાય પ્રતિ અનન્ય નિષ્ઠા રાખનાર શ્રી શાહે સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં સામાયિક અને સ્વાધ્યાયને એકાકાર કરી દીધા. નિયમિત રૂપે એકસાથે અનેક સામાયિક ગ્રહણ કરી ઇતિહાસનો સંક્ષિપ્ત પાઠ પોતાના હાથે લખી લખીને એમણે આ કાર્ય કર્યું. વરિષ્ઠ સ્વાધ્યાયી શ્રી શાહ સાધુ-સાધ્વીઓને જ્ઞાન-ધ્યાન પણ શીખવતા. જૈન ઇતિહાસ પ્રતિ એમની પ્રબળ જિજ્ઞાસા અને ગહન અધ્યયનનું આ પ્રમાણ છે કે એમણે અખિલ ભારતીય સ્તર પર આયોજિત જૈન ધર્મના મૌલિક ઇતિહાસ' ખુલ્લી પુસ્તક પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. એમના આ શ્રુત સહયોગ પ્રતિ અમે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. વિશ્વવિદ્યાલય સુવર્ણચંદ્રક વિજેતા અને આચાર્યશ્રી હસ્તી સ્મૃતિ સન્માન(૨૦૦૬)થી વિભૂષિત સાહિત્યકાર ડૉ. દિલીપ ધીંગે હિન્દી સંક્ષિપ્ત સંસ્કરણનું સંપાદન કર્યું. પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સહકાર આપનાર દરેક સહયોગી પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. ગુજરાતી અનુવાદનું કાર્ય ડૉ. યોગેન્દ્ર પારેખ, અમદાવાદવાળાએ કરી આપેલ છે. અને પ્રકાશન કરવામાં અ.ભા.શ્રી જૈનરત્ન હિતૈષી શ્રાવકસંઘના રાષ્ટ્રીય ઉ. પ્રમુખ શ્રી પદમચંદજી. જે. કોઠારી તથા તેમના ભ્રાતાશ્રી ચેનરાજજી જે. કોઠારી અમદાવાદવાળાઓએ, પ્રુફરીડિંગ શુદ્ધિકરણમાં જે સહયોગ કર્યો છે તે પ્રત્યે અમે હાર્દિક કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ. સંક્ષિપ્તીકરણના આ કાર્યમાં એ વાતનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું કે ભાષા, તથ્ય આદિ કોઈ પણ પ્રકારની ખામી ન રહે. છતાં પણ અમારા તરફથી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો પ્રબુદ્ધ વાચકો અમારું ધ્યાન દોરશે તો આગામી સંસ્કરણમાં સુધારી શકાય. પી. શિખરમલ સુરાણા સંપતરાજ ચૌધરી અધ્યક્ષ ૨ વિરદરાજ સુરાણા મંત્રી કાર્યાધ્યક્ષ સમ્યજ્ઞાન પ્રચારક મંડળ ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 282