Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર સૂવ વિવરણું. પુરૂ વિષયવાસનાને તજવા-નિમ્ન કરવા ભાર મુકીને કહે છે, તે આત્માથી જનેએ અવશ્ય લક્ષમાં રાખી પરિશીલન કરવા યોગ્ય છે. જે સંયમમાં ખરેખર દઢ છે તે મહાનુભાવેજ વિષયવાસનાને નિર્મૂળ કરી શકે છે, અને જે સ્વસંયમમાં દઢ રહી વિષયવાસનાને નિર્મુલ કરે છે તે સંત જન જે સહજ સુખને અનુભવ કરે છે તે ખરેખર નિરવધિ છે. કહ્યું છે કે “સર્વ ઉપાધિથી સર્વથા છૂટેલા, રાગ દ્વેષાદિક તાપથી મુકત થયેલા અને પ્રશાંત ચિત્તવાળા મહાનુભાવો જે નિરૂપાધિક સુખ પામે છે તેવું સુખ ચકવતી પણ પ્રાપ્ત કરી શકતા નથી.” “રાગ દ્વેષ અને મોહ વિકારથી સર્વથા મુક્ત થયેલા વીતરાગી પુરૂ જે સુખ પામે છે તે તેએજ જાણે છે, અન્ય કેઈ તે જાણી શકતા નથી. કેમકે વિષ્ટામાં જ મગ્ન રહેનાર સુકર સુરલોકના સુખને શી રીતે જાણી શકે?” જે જી કામાંધ છે તે નિઃશંકપણે વિષયસુખમાંજ રમે છે, અને જે જિન વચનમાં રકત છે તે ભવભીરૂ અને તેથી વિરમે છે. જેમ ખેળમાં પડેલી માખી પિતે પિતાને મુકાવવા સમર્થ થઈ શકતી નથી, તેમ વિષયરસમાં ડુબેલા માણસ પણ તેમાંથી મુકત થઈ શક્તા નથી. સમર્થ એવા જ્ઞાની પુરૂષના હરતાવલંબનની તેમને અવશ્ય જરૂર રહે છે. પાસવર્ડ અને પંજરવડે પગા જાનવ અને પંખીઓ બંધાય છે તેમ યુવતીરૂપ પાંજરામાં પૂરાયેલા પુરૂ કલેશને પામે છે. યુવતી જનની સાથે સંસર્ગ કરનાર દુઃખ વહોરી લે છે. કેમકે બિલાડી સાથે સંગ કરતાં મૃષકને સુખ હોઈ શકે. જ નહિ, હરિ હર બ્રહ્મા ચંદ્ર સૂર્ય અને કાર્તિક સ્વામી વિગેરે લિકિક દેવે પણ સ્ત્રીઓનું દાસત્વ કરે છે, માટે વિષયતૃષ્ણાને ધિક્કાર છે. “શ્રી સંબંધી વિષય સુખમાં આસક્ત થયેલા મૂઢ અને શીત તાપાદિક સહન કરે છે, વિવેકશૂન્ય થઈ એલાચી પુત્રની પરે સ્વજાતિને તજી દે છે અને રાવણની પેરે સ્વજીવિતને પણ તજે છે.” વિષયતૃષ્ણને વશ થઈને જીવ એવા પ્રચ્છન્ન પાપ કરે છે કે જે તેમને પ્રકાશવા બહુ મુશ્કેલ પડે છે અને જીવિત પર્યત શલ્યની પેરે સાલે છે. | સર્વ હિતશિક્ષાને સાર એ છે કે, સુજ્ઞ જનેએ સંતોષવૃત્તિ ધારી, તપસયમનું યથાશકિત સેવન કરી, વિષયતૃષ્ણને તજવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવાથી જ સહજ સુખ પ્રાપ્ત થઈ શકશે, અને અંતે પરમ હિત થશે; મન તથા ઈ. દ્રિને નિગ્રહ કર્યાથીજ પરમેય પ્રાપ્ત થઈ શકે છે. ચતઃ मनमरणे दियमरणं, इंदियमरणेण मरंति कम्मा । अम्ममरणेण मुख्को, तम्हा मणमारणं पचरं ।। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36