________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ધમ પ્રકાશ. પ્રકાશ પ, મુદ્દગલને આત્માની ભિન્નતા જેવાંમાં આવી, આત્મસ્વરૂપજ પિતાનું છે એમ લાગવા માંડ્યું. એ લયમાં ને લયમાં પદની બીજી ગાથા પર વિચાર કરવા લાગ્યા. “અહો! આ ઘડિયાળી તે માત્ર બાહ્ય કામ જણાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ એને બીજી અંતરમાં રહેલી ન કળી શકાય તેવી કળાની પ્રાપ્તિ થતી નથી, એ અકળ કળાને જણાવનારી ઘડિ તે અંતરમાં જ રહેલી છે અને હવે મને તે તેજ ઘડી પસંદ આવે છે. આ પદમાં બહુ અદ્ભુત ભાવ સૂચવે છે. ધન્ય ગુરૂમહારાજ ! સંપત્તિ પ્રાપ્ત કરવા આ જીવ પર્વત પર્વત આથડે છે, ફાંટાદાર શેઠીએની સેવા કરે છે, પિતાના વખાણ કરે છે અને અનેક નીચ કુયુક્તિઓ કામે લગાડે છે. એથી વધારે આગળ ચાલી ધર્મસંપત્તિ પ્રાપ્ત કરવા કોઈ પણ પ્રકારના વિવેક વગર, વિચાર વગર, હેતુના જ્ઞાન વગર આ જીવ કુંગરે ડુંગરે, મદિરે મંદિરે અને નદીએ, સરવરે, જંગલે, આશ્રમે આથડે છે. તેને એમ લાગે છે કે ધનસંપત્તિ પડે આત્મસંપત્તિ પણ બહારથી લાવવાની છે, પણ વસ્તુતઃ તેમ નથી. ઘરૂં છે તે તારી પાસે છે. તારામાં છે, તુજ છે. જેની શોધમાં વિવેક વગર તું રખડ્યા કરે છે તેને ઓળખ, તેનું સ્વરૂપ સમજ, તેના પરનો કચરો કાઢી નાખ, અને જો જો. તને જણાશે કે શુદ્ધ, નિરંજન, નિલેપ કાંચન તું જ છે, તારું સ્વરૂપ તું પિતે જાણ તે નથી, ઓળખતે નથી, સમજતો નથી, સમજવા પ્રયાસ કરતું નથી. તું તારા સમયને–વખતને બરાબર અંકુશમાં લઈ જરા આંતરચ બોલ, અને પછી જે કે ” તારે કોઈ વસ્તુ બહાર લેવા જવી પડે તેમ નથી.
બાહ્ય વસ્તુની પ્રાપ્તિ કરવા અને તેને મેળવવા માગે શોધવામાં આ જીવ નકામે કાળક્ષેપ કરે છે. વસ્તુ સ્વરૂપ અને આમદ્રવ્યને તેની સાથે સંબંધ એકવાર વિચારે તે તેને તુરત જણાય એમ છે કે પ્રથમ તે એ વસ્તુ શોધવા પાછળ પ્રયાસ કરેજ મિથ્યા છે, તે હદ સુધી ન પહોંચાય ત્યાંસુધીને માટે પણ એ વસ્તુ બહાર શોધવા જવી પડે તેવું છેજ નહિ. જે જોઈએ તે તારી પાસે છે. બહારના પ્રયાસથી કે કોઈની મહેરબાનીથી વસ્તુપ્રાપ્તિ થઈ છે, એમ માનનાર ભૂલ ખાય છે. મયણાસુંદરીના પિતા એમજ માનતા હતા, અને વસુસ્વરૂપ સમજનારી મયણાસુંદરીની સુબુદ્ધિપર રાજસેવકે હસતા હતા, જ્યારે સુરસુંદરીની તારા જેવી બુદ્ધિને વખાણતા હતા, પણ તેજ સુરસુંદરી જ્યારે નટીને વેશે આવી અને સર્વ ભ્રમ દૂર કર્યો ત્યારેજ આત્મિક દ્રવ્યની અને તેના દ્રવ્યત્વની કિંમત થઈ. એટલે વખત ધિર્વ ન રહે તેથી જ દુનિયામાં ઘણી વખત ગફલતી ધાય છે, દુનિયાના ઘણા ખરા માણસે ઘડિયાળીની માફક બાહ્ય વરતુ ઉપરજ રાચનારા હોય છે, આંતર સ્વરૂપ સમજી તેનું મૂળ કારણ શોધનારા બહુ થડા હોય છે.
For Private And Personal Use Only