________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને ધર્મ પ્રકાશે. તે પણ તે પર આશા તજતા નથી. પરસ્પૃહા સમાન કે દુઃખ નથી અને નિડતા સમાન કેઈ સુખ નથી, એ સુખદુઃખનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે. આવા હિતવચનથી ગુરૂ મહારાજ ભવ્ય જીવને બોધે છે અને કહે છે કે-એકાંત અહિતકારી પરઆશા તજી સ્વાધીન એવું જ્ઞાનામૃતનું જ સેવન કરવું શ્રેયકારી છે. જ્ઞાનામૃતનું પાન કર્યા વિના પરસ્પૃહા મટવાની નથી. જ્ઞાનામૃતનું સેવન કરી જેણે પરસ્પૃહા તજી દીધી છે તેને અનુભવરસની-શાંત રસની ખરી ખુમારી જાગે છે અને તે ખુમારી કદાપિ ઉતરતી નથી. જેને ખરી ખુમારી જાગી છે તે જેમ સ્વાનુભવ રસની પુષ્ટિ થાય તેમ તન મન વચનનો સદુપયોગ કરે છે, તેને કંઈ પણ દુરૂપયોગ કરતાજ નથી. છેવટ સર્વ પૃહાને તજી કેવળ નિઃસ્પૃહપણે સર્વથા સ્વપર હિત કરવા ઉજમાળ રહે છે. જે વિકરણ શુદ્ધિથી જગત્માનું હિત કરી શકે છે, તે નખથી શીખ સુધી સ્વાનુભવ રસમાં મગ્ન રહે છે, મતલબ કે સદ્દગુરૂના હિત વચનને આદર કરી પરપૃહાને વિષવતુ લેખી જે તજે છે અને અમૃત સમાન અનુભવ જ્ઞાનને જે અભ્યાસ કરે છે તે સર્વ વિષયવિકારને ટાળી સહજ સમાધિસુખને પ્રાપ્ત કરે છે. એવા તાત્વિક સુખને કણ ન અભિલ? મોક્ષાથી જ તે તે અવશ્ય અભિલજ. ફક્ત ભવાભિનંદી જજ તાત્વિક સુખને તિલાંજલિ દઈ વિષયતૃષ્ણાને આદર કરે છે.” શાસકારે કહ્યું છે કે “જે જિન વચનામૃતને અનાદર કરી, ભવ વિડંબનાકારી ઘેર વિષયરસને સેવે છે તેમને વારંવાર ધિક્કાર છે.'
જે માણસ મરણાંતે પણ દિન વચન બેલતા નથી તે પણ નેહરાગથી ઘેલા બની સ્ત્રીઓ પાસે બાળા કરે છે. “ઇ પણ જેનું માન-મહત્વ ખંડી શકે નહિ તેવા માણસને પણ સ્ત્રીઓએ પોતાના દાસ બનાવ્યા છે.” જેમ અગ્નિ પાસે સ્વભાવેજ મીણ ઓગળી જાય છે તેમ સ્ત્રીને સંસર્ગથી-પરિચયથી માણસનું મન દ્રવી કામાતુર થઈ જાય છે. “સિંહ, સાવજ, હાથી અને સંપદિક અતિ ક્રૂર જીવોને સુખે જીતી શકાય છે, પરંતુ મોક્ષમાર્ગમાં વિનકારી એક કામને જ જીતો મુશ્કેલ છે. જેણે કામને છ તેણે સર્વ કર્યું છે. ” “જે આ દુર્લભ માનવભવ પામીને સ્વાત્મશુદ્ધિ કરવા મન વચન અને કાયાને નિગ્રહ નહિ કરતાં કે વળ પંચેંદ્રિયના વિષયસુખમાંજ નિમગ્ન રહી પિતાના આત્માને રાગદ્વેષાદિક વિ કારવડે ઉલટ મલીન કરે છે તે મંદભાગી જને પિતાનાજ ગળા ઉપર કાતર વાહ છે.” “જેથી જીવ અમૃત સમાન ધર્મને વિશ્વવતુ ઉખે છે અને વિષ જેવા વિ ષમ વિષયભેગને અમૃત જેવા લેખ આદરે છે તેથી જણાય છે કે તે અંધ બની ગયો છે અથવા તેણે ધંતુર પીધો છે અથવા સન્નિપાતથી તેની ડાગળી ખસી ગઈ છે. તે જ્ઞાન વિજ્ઞાન કે ગુણાબર શા કામના કે વિષમ એવા વિષયમાં રાચી
For Private And Personal Use Only