Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 166
________________ :૧૫૪ ઃ "नैवानि च स्नानं न प्रार्द्ध देवतार्चनम् । दानं वा वाहितं रात्री भोजनं तु विशेषतः ॥" અર્થાતઆહુતિ, સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન, દાન અને વિશેષ કરીને ભજન રાત્રે ન કરવું જોઈએ. આ વિષયમાં “આયુર્વેદ” ને પણ એ જ મુદ્રાલેખ છે કે – " हमामिपनसंकोचश्चन्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं सूक्ष्मजीवादनादपि ॥" –સૂર્યના અસ્ત થયા પછી હૃદયકમલ અને નાભિકમલ એ બંને સંકેચાઈ જાય છે. એથી, અને સૂક્ષ્મ જીવાનું પણ ભોજનની સાથે ભક્ષણ થઈ જતું હેવાથી રાત્રિએ ભોજન કરવું નહિ. ઉચ્છિષ્ટ (એવું) ખાવું-પીવું પણ જૈન ધર્મમાં નિષિદ્ધ છે. સ્વચ્છતા, સુઘડતા, શુદ્ધતા અને સમુચિત શૌચ તરફ ધ્યાન આપવાનું જેન આચારગ્રન્થ સારી પેઠે ફરમાવે છે. લાંબો વખત મળ-મૂત્ર રહેવાથી તેમાંથી ઊડતા વિલક્ષણ જંતુઓના સંક્રમણને લીધે અનેક રોગો પેદા થાય છે, એમ રસાયનશાસ્ત્ર બતાવે છે, ત્યારે જૈનશાસ્ત્ર પણ છૂટી. જગ્યામાં મળ-મૂત્ર કરવાનું ફરમાવે છે. ટૂંકમાં એટલું કહી દેવું જોઈએ કે શાસ્ત્રોક્ત આચાર-વ્યવહાર જીવનની ઉન્નતિનાં પગથિયાં છે. શાસ્ત્રનિયમાનુસાર વર્તન રાખવામાં આરોગ્યને લાભ છે, અર્થસિદ્ધ છે અને કપ્રિયતા મેળવાય છે. સાથે જ સાથે આજતિને ઉદ્દેશ પણ બરાબર સિદ્ધ કરી શકાય છે. જ્યાં સુધી વસ્તુઝાનમાં સંદેહ યા બ્રાતિ હેય ત્યાં સુધી યથાર્થ પ્રવૃત્તિ બનતી નથી, એ સુવિદિત છે. વસ્તુતત્વની પરીક્ષા પ્રમાણઠારા થાય છે, એમાં બે મત નથી. આ માટે જેનન્યાયની પરિભાષાનું અવલેકિન પણ ટૂંકમાં કરી જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200