Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 173
________________ : ૧૬૧ : દિત છે. ઘડે ફેડી તે જ માટીથી બનાવેલ કુંડાને કઈ ઘડો કહેશે? નહિ. કેમ? માટી તે એની એ છે! પરંતુ નહિ, આકાર બદલાય હેવાથી તે ઘડે કહેવાય જ નહિ. આ ઉપરથી સિદ્ધ થાય છે કે “ઘડે” એ માટીને અમુક આકાર વિશેષ છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું કે તે આકાર-વિશેષ, માટીથી તદન જૂદ નથી. તે તે આકારમાં ફેરવાયલી માટી જ જ્યારે “ઘડો,” “ કુંડું' વગેરે નામોથી વ્યવહત થાય છે, તે પછી ઘડાના આકાર અને માટીને તન જૂદાં કેમ માની શકાય ? આ ઉપરથી એ ખુલ્લું જાહેર થાય છે કે “ઘડા” ને આકાર અને માટી એ બંને ઘડાનું સ્વરૂપ છે. હવે એ ઉભય સ્વરૂપમાં વિનાશી સ્વરૂપ કયું છે અને ધ્રુવ સ્વરૂપ કયું છે, એ વિચારી લઈએ. “ઘડાને આકાર” એ તે વિનાશી છે. એ પ્રત્યક્ષ જોઈએ છીએ, એટલે ઘડાનું એક સ્વરૂપ તે–જે ઘડાને આકાર વિશેષ છે, તે–વિનાશી કર્યું. હવે ઘડાનું બીજું સ્વરૂપ જે માટી છે, તે વિનાશી નથી; કારણ કે માટીના તે તે આકારોપરિણામે બદલાયા કરે છે, પણ માટી તે એની એ જ રહે છે, એ આપણને અનુભવસિદ્ધ છે. ઉપર કથા પ્રમાણે, ઘડાનું એક વિનાશી અને એક ધ્રુવ, એમ ઉભય સ્વરૂપ જોયું. એ ઉપરથી એમ માનવું સહજ પ્રાપ્ત થાય છે કેવિનાશી રૂપથી ઘડે અનિત્ય છે અને પ્રવરૂ૫થી ઘડો નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં અપેક્ષાકૃત નિત્ય અને અનિત્યપણાની માન્યતાના સિદ્ધાન્તને સ્યાદાદ કહેવામાં આવ્યું છે. કંઈક વિશેષ સ્પષ્ટ કરવાની ખાતર સ્યાદ્વાદ તરફ પુનઃ દષ્ટિપાત કરીએ – સર્વ પદાર્થોને ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ વળગેલાં છે. દષ્ટાન્ત તરીકે એક સેનાની કંઠી લઈએ. સેનાની કંઠી ભાંગીને દોરે બનાવ્યું ત્યારે કંઠીને નાશ થયો અને દોરે ઉત્પન્ન થયે, એ આપણે સુસ્પષ્ટ ૧. “Wાર-ચા-શૌચયુ ”! –તત્ત્વાર્થસૂત્ર, “ઉમાસ્વાતિ” વાચક. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200