Book Title: Jain Dharm Darshan
Author(s): Manilal Mohanlal Zaveri
Publisher: Manilal Mohanlal Zaveri

View full book text
Previous | Next

Page 195
________________ : ૧૮૩: " अभिप्रायस्ततस्तेषां सम्यग् मृग्यो हितैषिणा। न्यायशास्त्रविरोधेन यथाऽऽह मनुरप्यदः ॥" –“જ્યાં જ્યાં ઈશ્વરને કર્તા કહેવામાં આવ્યું હોય, ત્યાં ત્યાં પૂર્વોક્ત અભિપ્રાયથી કર્તા સમજો, તે સિવાય પરમાર્થ દષ્ટિએ ઈશ્વરને કર્તા કોઈ શાસ્ત્રકાર બતાવી શકે નહિ. કારણ કે શાસ્ત્ર બનાવનાર ઋષિમહાત્માઓ પ્રાયઃ નિસ્પૃહ, પરમાર્થદષ્ટિવાળા અને લોકપકારની વૃત્તિવાળા હોય છે. માટે તેઓ અયુક્ત, પ્રમાણબાધિત ઉપદેશ કેમ કરે ? અતઃ તેઓના કથનનું રહસ્ય શોધવું જોઈએ, કે અમુક વાત તેઓ કયા આશયથી કહે છે.” આ વિષયની પછી કપિલના પ્રકૃતિવાદની સમીક્ષા આવે છે. સાંખ્યમતાનુસારી વિદ્વાનેએ પ્રકૃતિવાદની જે વિવેચના કરી છે, તેમાં દોષ જાહેર કરીને પ્રકૃતિવાદમાં કપિલનું શું રહસ્ય સમાયેલું છે, એ વાતનું પ્રતિપાદન કરતાં છેવટે આચાર્યશ્રી કહે છે કે– " एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि । પોશેર હિચ્ચે ફિ મધુનિ” –“એ પ્રમાણે (પ્રકૃતિવાળું જે ખરૂં રહસ્ય બતાવ્યું તે પ્રમાણે) પ્રકૃતિવાદ યથાર્થ જ જાણ. વળી તે કપિલનો ઉપદેશ છે, માટે સત્ય છે, કારણ કે તેઓ દિવ્યશની મહામુનિ હતા.” એ આગળ જઈને ક્ષણિકવાદ, વિજ્ઞાનવાદ અને ત્યવાદની ખૂબ આલેચના કરીને તે વાદમાં અનેક દેશે બતાવી છેવટે આચાર્ય મહારાજ વરસ્તુસ્થિતિ કહે છે કે- “વ વવચેતાસ્થાનિવૃત્ત क्षणिकं सर्वमेवेति बुद्धेनोक्तं न तत्त्वतः ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200