Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ બેસાડી પ્રેરણાદાયી વાતો કરાવડાવે દિવસમાં વારંવાર નમસ્કાર મહામંત્રો, ધૂનો, સુંદર ગીતોની કેસેટો સંભળાવ્યા કરે. અવસરે અવસરે ઉપકારી મા ના નામે તેની પાસે અનુમોદના કરાવીને દાનાદિના સુકૃતો કર્યા જ કરે. આ બધી આત્મિક આરાધનાઓ સાથે સંડાસબાથરૂમથી માંડીને તમામે તમામ સેવા કોઈ નોકર પાસે નહિ પણ જાતે જ દીકરા અને વહુએ ઉલ્લાસપૂર્વક કરી છે. ૬ મહિના સુધી દીકરાએ ઓફિસ-ધંધાને તદન ગૌણ બનાવી દીધો હતો. આમ, બાહ્ય અને અત્યંતર બંને સેવા દ્વારા ખૂબ સમાધિભાવ દીકરાએ આપી માના ઋણ માંથી કઈક અંશે મુક્ત થયાનો અહેસાસ આ દીકરાએ માણ્યો હતો. ધન્ય છે આ માતૃભક્ત સુપુત્રને ! ધન્ય છે એની સાચી સમાધિદાયક સેવાને! શું આપણે પણ આમાંથી પ્રેરણા લઈશું ? જ . ધન પત્ની નહિ, ધર્મ પત્ની : ઈતિહાસમાં નોંધાયેલી નહીં, પણ આપણી આસપાસ બનેલી આ સત્ય ઘટના છે. લગ્ન પહેલા બન્ને જણ મળ્યા, થોડીક ઔપચારિક વાતો થયા પછી યુવાને યુવતીને પૂછયું, “તું મને પસંદ છે પણ... મારી એક શરત જો તું મંજૂર રાખતી હોય તો જ આપણાં લગ્ન શક્ય બને.” યુવતીએ પૂછયું : “તમારી શરત શું?” યુવાન કહે કે, “મારા પપ્પાને બે વાર હાર્ટએટેક આવી (મોતનું કાયમ માટે મોત એટલે જ મોઢા. ] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52