________________
રાજક(૧૧) ૯૯૦
જાગીશું. મારા ય પપ્પા જ છે ને ! યુવાનની આંખો બંધ થઈ ગઈ ને બંધ આંખેથી પ્રભુના પાડના, કૃપાના, દયાના, આભારના બે અશ્રુ ઝર્યા, આવી પત્ની મળવા બદલ...!
લગ્નની પ્રથમ રાત્રિથી જ પિતાની અડખે પડખે સૂનારા આ યુવાન પતિ-પત્નિની રોજ એકવાર અનુમોદના કરજો . ને એમના બ્રહ્મચર્ય પાલનને, એમના સત્વને અને પિતૃ ભક્તિને રોજ વંદના કરજો અને આવી પિતૃભક્તિ અને બ્રહ્મચર્યની શક્તિની પ્રભુ પાસે યાચના કરજો...!!
1શ ૭. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ
વિ. સં. ૨૦૬૮ની સાલ. વિશાળ સાધુ સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. નું ચાતુર્માસ અવસ્થાન સુરતમાં હતું. એઓશ્રીના આજ્ઞાનુવર્તી સાધુઓનું સુરતમાં સાત અલગ અલગ સ્થાનમાં ચાતુર્માસ. પૂજયશ્રી તપધર્મના ખૂબ જ પ્રેમવાળા. એમણે આ ચાતુર્માસમાં માસક્ષમણ (મૃત્યુંજય) તપની જબ્બર પ્રેરણા કરી. સમસ્ત સુરત શહેર ના ભાવિકોએ આ પ્રેરણા ભકિતભાવથી અને શ્રદ્ધાથી ઝીલી અને સમસ્ત સુરતમાં ૮૦૧ થી પણ વધુ માસક્ષમણની જબ્બર નિર્જરા કરાવનારી તપસ્યા થઈ. તપસ્વીઓની શોભાયાત્રા વગેરે અભુત શાસનપ્રભાવના થઈ.
તપસ્વીઓને પારણાં કરાવવાનું ભવ્ય આયોજન નક્કી થયું. પારણાંનો લાભ લેવાનું સૌભાગ્ય કોનું? તે માટે બોલી બોલવાનું શરૂ થયું. પોતાના પિતાજી પારસમલજી જૈને ૬૯ વર્ષની જૈફ વયે માસક્ષમણ કર્યું એની ખુશાલીમાં આ તપની
eagerness is good, but angerness is bed.
Jain EGCERT
TerદારFre
- E-
SERe T
ere NSE ""'"
jamembrary.org