Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 24
________________ ૯૯૦૯૯-૯-૯-૯(૨૨)------- પાપથી બચાશે.” દીકરાએ વાત સ્વીકારી. કીર્તિભાઈને ખૂબ આનંદ થયો. ૩૦૦ જેટલા સાધર્મિકોને દૂધ થી પગ ધોઈ સાધર્મિક વાત્સલ્ય ક્યું. સાથે દરેકને ૩ મહિના ચાલે તેટલું સીધુ -સામાન આપી જિનાજ્ઞા મુજબ અનંતી કર્મનિર્જરા અને લખલૂટ પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કર્યું. ધન્ય હો જિનશાસનના ઉત્તમ શ્રાવકોની ભાવનાને !! હે જૈનો ! તમે પણ સંસારી સગાઈ કરતા સાધર્મિકની સગાઈને મુખ્ય બનાવી પુણ્યાનુબંધી પુણ્ય બાંધશોને..!! સાધર્મિકોના મુખના શબ્દો, “મંદભાગી અમને બધા લોકો ધિક્કારે છે, જયારે સાધર્મિકના નાતે તમે અમારી ભક્તિ કરી એટલે અમને સંઘ અને જિનશાસન પર બહુમાન થાય છે.” ૧૫. ઉત્તમ મુહૂર્તનો પ્રભાવ જs આશરે ૫ વર્ષ પૂર્વે અમદાવાદના એસ. પી. રીંગ રોડ પાસે, સુરભિત વાટિકા સોસાયટીમાં નૌતમભાઈએ ઘર લીધું સાથે સુંદર જિનાલય બનાવવાની ભાવના જાગી જગ્યા નક્કી કરી. સોમપુરાને એડવાન્સ રકમ આપી. કોણ જાણે કેમ? પરંતુ દહેરાસરના કામમાં જોઈએ તેવો વેગ આવતો ન હતો રકમ આપવા છતાં પત્થર પૂરતા પ્રમાણમાં આવતા ન હતા. મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ ક્યાંથી મળે? તે માટે શાસનરત્ન કુમારપાળ વી. શાહને વાત કરતાં તેમણે નંદાસણનું નામ સૂચવ્યું. ત્યાં જોવા જતા પ્રતિમાજી ખૂબ મનમોહક લાગ્યા. જોગાનુજોગ ત્યાં વિરાજમાન પૂ. નયચંદ્રસાગરજી મ. સા. પાસે વાસક્ષેપ કરાવી ભાવોલ્લાસપૂર્વક ઘરે લાવ્યા. પાછળથી તપાસ મિ૨ણ એ આખરી અને આકરી કસોટી છે.) Jain Education International For Personal & Private use only www.janelbrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52