Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 31
________________ જ મારું સ્વસ્વ છે. તારી બધી જ ઈચ્છા આજ સુધી મેં પૂરી કરી છે. તને કયાંય ઓછું આવવા દીધું નથી પણ .....આજે હું લાચાર છું, બેટા ! હું લાચાર છું.' - બોલતા બોલતા માં ડુક્કા ભરીને રડવા માંડી. એક બાજુ દીકરી પરનો અતિશય રાગ છે તથા બીજી બાજુ પરિસ્થિતિવશ લાચારી છે. બંનેના દ્વન્ટે તેને બેબાકળી કરી દીધી છે. બાળા ભલે નાની છે પણ સમજુ છે. તરતજ પરિસ્થિતિ સમજીને જીદ છોડી દીધી. મમ્મીને શાંત કરવા લાગી અને પોતાની કાલીઘેલી ભાષામાં બોલવા લાગી, “મમ્મી! તું જરાય ચિંતા ન કર. હું તારી દીકરી નથી પણ દીકરો છું. હું મોટી થઈશ પછી ખૂબ કમાઈશ. તને બધી ચિંતાઓથી મુક્ત બનાવી શેઠાણી બનાવીશ. તને બધી આરાધના કરવાનો સમય ફાળવી દઈશ. બસ! મમ્મી! તું ૩-૪ વર્ષ પસાર કરી લે. પછી તારો આ દીકરો (!) તને સુખી સુખી કરી દેશે.” બેટી તરફથી મળતું આશ્વાસન અને છોડી દીધેલી જીદ મા ને થોડી સ્વસ્થ કરી. પછી બંને પરસ્પર ભેટી પડ્યાં. ચૂમીઓ ભરી અને બંનેએ હળવાશ અનુભવી. રાત્રે સાધ્વીજીને મળવા માટે આ નાનકડી છોકરી પહોંચી ગઈ. મુખ્ય સાધ્વીજી પાસે જઈને રડવાનું શરૂ કર્યું. મમ્મીને સાંત્વના આપવા જીદ છોડી દીધી હતી પણ પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ, પ્રભુની દિકુમારી થઈ નૃત્ય કરવાની ભાવના એવીને એવી હતી. તેથી સાધ્વીજી ભગવંત આગળ રડતાં રડતાં બોલવા લાગી: “ગુરુજી! એવો તો મેં કયો ગુનો કર્યો, પાપ કર્યું (વેપારી પાઈપાઈનો હિસાબ રાખે તો સાધકપલપલનો હિસાબ રાખે છે Jain Education international For Personar & Private ose only www.jamembrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52