Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 34
________________ --------(૩૨) ૪-૦૯-૦૯------- અને સોમપુરાની કૃતજ્ઞતા. 1શ ૨૩. ગિરિરાજ ! તારો પ્રભાવ છે, અપરંપાર છે. ગુજરાતનું પાટણ શહેર. ત્યાં પંડિત પ્રભુદાસભાઈ પારેખ જિજ્ઞાસુઓને ધાર્મિક અભ્યાસ કરાવતા હતા ત્યારની વાત. એમનાં સ્થાનની બહાર હૈદરઅલી નામે મુસ્લિમ યુવક બેસે. એ સંપૂર્ણ મૂંગો હતો. એક અક્ષર બોલી ન શકે. અલબત્ત, ઈશારાથી સમજવાની એની શક્તિ ખૂબ વિકસ્વર હતી. પરંતુ વાણીનો વૈભવ એનાથી બાર ગાઉ દૂર હતો. એ ઘણીવાર ધર્મભાવનાથી પ્રેરાઈને પાટીમાં મોટા અક્ષરે ‘હિંસા ન કરો... જૂઠ ન બોલો ...' વગેરે સૂચનાઓ લખીને પોતાના મુસ્લિમ બિરાદરોને બતાવતો. પુસ્તકાલયમાં પુસ્તકો લેવા-મૂકવાનું કાર્ય પણ ઈશારે ઈશારે કરે. લગભગ ૪૦ વર્ષો બાદ પ્રભુદાસભાઈ એક વાર શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી રહ્યા હતા. ત્યાં પાછળથી જોશભર્યો ઉમળકાભર્યો અવાજ આવ્યો : “પ્રભુદાસકાકા” કાકાએ પાછળ દૃષ્ટિ કરી, તો તેઓ આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયા. એ અવાજ પેલા મૂક મુસ્લિમ યુવાન હૈદરઅલીનો હતો. પ્રભુદાસકાકાએ પૂછયું કે, “અરે ! તું અહીં ક્યાંથી? અને તને આ સ્પષ્ટ વાણી કયાંથી મળી?” હૈદરઅલીએ હરખાતાં હરખાતાં ઉત્તર આપ્યો : “કાકા, એ કહેવા જ તમને સાદ કર્યો છે. વાત એમ બની કે મારી સેવાથી ખુશ થયેલા આચાર્ય મહારાજ શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજે મને એક વાર કહ્યું કે,”તું પાલીતાણા (Immediate H&Hilam + Me ol Diate sal. . Jain Education international For Personal & Private use only www.jamembrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52