Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 37
________________ **34** મારા મનની ઝંખના શી હોત ? અથવા તો આ તકલીફ લગ્નના બે-ચાર દિવસ બાદ અમારા બેમાંથી કોઈને થઈ હોત, તો શું અમે એક-બીજાને છોડી શકત ? જો ના, તો પછી આજે એને હું કેમ છોડી શકું ?’’ અને લગ્ન નિર્ધારિત સમયે નિર્ધારિત સ્થળે રંગેચંગે થઈ ગયા. લગ્ન પછી દંપતી પાલનપુર ગયા. ત્યાં જાણીતા અને નિષ્ણાત ડૉકટરને આંખ બતાવી. એમણે કહ્યું : ‘બહુ મુશ્કેલ કેસ છે. મદ્રાસ જાવ તો કદાચ કાંઈ થાય તો થાય.’ નવવધૂ પ્રબળ શ્રદ્ધાસંપન્ન હતી. એણે પતિને કહ્યું : ‘મદ્રાસ પછી જઈશું. પહેલાં અહીં નિકટના મારા વતનના ગામ દાંતરાઈ (રાજ.) જઈએ. ત્યાં ભગવાન મુનિસુવ્રતદાદાનું જિનાલય છે. મને એમના પર પૂર્ણ શ્રદ્ધા છે. ત્યાં પૂજા કરીએ, પછી મદ્રાસની વાત.' બંન્ને દાંતરાઈ ગયા. એ દિવસે બન્નેએ આયંબિલ તપ કર્યું, ભાવપૂર્વક પૂજા કરી, સ્નાત્ર ભણાવ્યું અને અંતે શાંતિકળશ પણ કર્યો. શાંતિકળશ બાદ જયાં એનું સ્નાત્રજળ આંખે લગાડયું, ત્યાં જ આંખે ઝળહળતું તેજ લાધ્યું. બન્ને આંખોની રોશની પાછી આવી ગઈ. વંદન હો.. અચિંત્ય ચિંતામણી શ્રી મુનિસુવ્રત ભગવાનને...!! વંદન હો.. એ પરમાત્મા પ્રત્યેની તે દંપતિની અટલ અવિચલ શ્રદ્ધાને !! ૐ ૨૫. સંસ્કારદાત્રી મા નામ એનું મોક્ષા. હાલ તેની ઉંમર ૬ વર્ષની છે. પણ પૂર્વની કોઈ જબરજસ્ત આરાધના કરીને આવેલો એ જીવ છે કે તેને અત્યંત સંસ્કારી-કુટુંબમાં જન્મ મળ્યો. ગર્ભકાળથી જ પત્નીના આંસુમાંગણી પૂરી કરવા ને પતિના તેની માંગણી પૂરી કરતા નીકળે. Jain Education international vate Use Only www.jainmembrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52