Book Title: Jain Adarsh Prasango Part 12
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ *(૨૦) વારંવાર જૂ પડી જાય છે હેમેન્દ્રભાઈ તેમનું માથુ સાફ કરી આપે છે. વાળંદને ઘરે બોલાવીને વાળ કપાવી નાખે છે, જેથી બહેનોને રાત્રે ઉંઘ સારી આવે. મંદબુદ્ધિના કારણે કોઈના ભરોસે ઘર છોડીને જવામાં જોખમ હોય છે. કયાંક ફરવા જાય અને વાગી જાય કે પડી જાય તો સ્વજનને ઉલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ થાય છે. પરંતુ હેમેન્દ્રભાઈ ઘરમાં એકલા જ હોવાથી ફરજિયાત આમ કરવું પડે છે. એકવાર ભાતના ઓસામણમાં લપસી જવાથી ત્રણેય બહેનોને ઈજા થતા દવાખાને લઈ જવી પડી હતી. એકવાર ગેસનું સિલિન્ડર કાઢીને ચોર લઈ ગયા હતા. વર્તમાનમાં સુખી ઘરોમાં પણ સ્વસ્થ મા-બાપને પાંજરાપોળમાં (ઘરડાઘરમાં)રંગેચંગે મૂકી આવીને ખુશ થનારા દીકરાઓએ તથા માતા-પિતાની સંપત્તિ વિગેરે માટે ભાઈઓ-બહેનો સાથે કોર્ટે ચઢનારા વ્યક્તિઓએ આ પ્રસંગ પરથી પ્રેરણા પામીને કાંઈક જાગૃત થવા જેવું ખરું હોં ! ! ૧૩. ૧૩. પ્રતિકૂળતામાં ધમ હાલ અમદાવાદનો રહેવાસી યુવાન. ધંધા માટે ફેકટરી ચાલુ કરી. જૈન કુટુંબની યુવતી સાથે લગ્ન થયા. પત્ની જૈન કુટુંબમાં જન્મેલી હોવા છતાં પત્નીને જૈન ધર્મ પ્રત્યે સહેજ પણ માન નહિ. અજૈન દેવ-દેવીઓને માને, બાધા રાખે, પૂજા કરે. આ યુવાન તો રોજ જિનપૂજા કરે, વ્યાખ્યાનમાં જાય. પત્ની ઝઘડો કરે અને ના પાડે. અમુક વાર તો પૂજાનાં કપડાં પણ ફાડી નાખ્યાં છતાં પણ ગુરુભગવંતના સત્સંગના પ્રભાવે યુવાને પ્રભુની શ્રધ્ધા માટે - No Comment only Commitment Jain Education international For Personal & Private Use Only www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52