________________
-------(૧૫)*- -- -- સમાચાર મળ્યાકે તમારી દુકાન (સોનાની-હીરાની) સંપૂર્ણ લૂંટાઈ ગઈ છે. તમો ઉપધાનમાંથી નીકળી ઘરે આવો. એમને અઢારીયું પૂરું થયું હતું પણ ચૌદસે નીકળાય નહીં એ શાસ્ત્રીય નિયમ મુજબ એ નિકળવા તૈયાર ન થયા. સદ્ગુરુઓએ અપવાદે એમને નિકળવાની છૂટ આપી. એમના પુત્રની આંગળી દુકાનની લૂંટવખતે ગૂંડા લોકોના હાથે કપાઈ ગઈ, ખૂબ લોહી નીકળ્યું પણ આ સુપુત્ર વિચારે કે આંગળી કપાઈ એનો અફસોસ નથી પરંતુ હવે મારે અંજનશલાકામાં પ્રભુના માતા-પિતા બનવાનું નહીં રહે. આ વયોવૃધ્ધ શ્રાવકે પોતાની લક્ષ્મી અનેક રીતે દાનમાં વહેવડાવી છે. સાધર્મિક ભક્તિ તો એમનો અત્યંત પ્રિય વિષય! આજની તારીખે અને આંખો ગુમાવી હોવા છતાં ૮-૧૦ સંબંધીઓ પાસેથી સાંભળી સાંભળીને જીવવિચાર નવત્તત્વની ગાથા પણ ગોખે છે. અનેક સામાયિક કરે છે. એમનું નામ ખંભાત વાસી તારાચંદ અંબાલાલ શાહ (હાલ મુંબઈ) ! તેઓશ્રી વૈરાગ્ય દેશનાદલ આચાર્ય શ્રી વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી મ.ના સંસારી ભાઈ છે. એમણે એમની પુત્રીને ઠાઠથી દીક્ષા અપાવેલ છે. ધન્ય ધન્ય..અનુમોદના વારંવાર!
શ ૧૦. જય હો અહિંસા ધર્મનો કિ
પ્રભાવતીબેન ચીનુભાઈ શાહ. ઉમર ૮૮ વર્ષ. હાલ કાંદીવલી (વેસ્ટ) મુંબઈ રહે છે. ઈ.સ. ૨૦૦૧ની સાલમાં એ બિમાર પડયા. બિમારી ભયંકર. ડૉકટર કહે, “એક હજાર દર્દીમાંથી માત્ર એક જીવી શકે એવો આ ભયંકર જીવલેણ રોગ છે. હું એમની ટ્રીટમેન્ટ કરૂ છું, પણ સૌથી છેલ્લા પરિણામ કાળા અને સુંવાળાવાળના રખેવાળો વાળ ૨વાના થાય તો ખેદ ન કરશો.)
Jain Education interratora
Por personal Private use only
www.jainelibrary.org