________________
જ
(૧૦) ગયા છે એટલે મારી પથારી રોજ રાતના પપ્પાની બાજુમાં થશે. કેમકે... ન જાણે રાતના અચાનક પપ્પાને એટેકનો હુમલો આવે ને તે વખતે હું પાસે સુતો હોઉં તો પપ્પાને તરત હોસ્પિટલાઈઝ કરી શકું ને છેલ્લે એમને નવકાર તો સંભળાવી શકું ને ! બોલ! આ શરત જો તું માન્ય કરતી હોય તો મારે તારી જોડે જ લગ્ન કરવા છે.” એ વખતે... આ જ આબોહવામાં ઉછરેલી એ યુવતી જે બોલી, તે સાંભળતા પેલો યુવક ગ ગદ્ બની રડી પડયો. જો તમારા હાથમાં રૂમાલ હોય ને દૃયમાં જો ભાવુકતા હોય તો આ વાંચતા તમારે ય આંસુ લુછવાં જ પડશે. એ યુવતી બોલી “આ શરત ન કહેવાય, સમર્પણ કહેવાય. પિતૃસમર્પણ કહેવાય. કર્તવ્યના પાલનમાં હું તમને પૂરેપૂરો સાથ આપીશ.” યુવકે યુવતીનો હાથ ભાવુક બની પકડી લીધો ને એનું દય બોલ્યું, “મારું પુણ્ય છે કે તારા જેવી જીવનસંગિની મળશે.”
થોડાક વખતમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. સાંજ ઢળી, રાત ચઢી, યુવાને પત્નીને કહ્યું, “આપણી વાત યાદ છે ને?” નવોઢા પત્ની કહે કે, “તમારી પથારી પથરાઈ ગઈ છે.” યુવકે જોયું તો પપ્પાની બાજુમાં જ પથારી પાથરેલી હતી પરંતુ કુલ ત્રણ પથારી હતી. એક પપ્પાની, એક મારી, ત્રીજી કોની? એ યુવાને પૂછ્યું. “બાજુ માં બીજી પથારી કેમ ?” નવોઢા બોલી, “ કેમ ! એક બાજુ તમે સુવો તો પપ્પાની બીજી બાજુ હું સુઈશ! યુવાને આશ્ચર્ય સાથે પૂછયું “તું?” નવોઢા બોલી, “હા, હું ય સૂઈશ. કોકવાર તમારી ઉંઘ ન ઉડે ને પપ્પાને તકલીફ થાય તો શું? આપણે વારાફરતી સંસારીને સૃષ્ટિ સુધરે તો સુખ, સાધm દ્રષ્ટિ સુધરે તો સુખ
Jain Education in tem aliortal
OT Personal Private use only
www.jainelibrary.org