Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 133
________________ ૧૨૬. હંસા !... તું ઝીલ મેત્રીસરોવરમાં કદાચ આપણી કલ્પનાઓ સાચી હોય અને તેનામાં અમુક અમુક ખામીઓ રહેલી પણ હોય, તોપણ એટલા માત્રથી એની સામે ફરિયાદો જ ઊભી કર્યા કરવી, ભાગી જવાનો જ પ્રયાસ કરવો એ કોઈ શાંતિપ્રાપ્તિનો ખરો ઉપાય નથી. જેમ એની ખામીના કારણે આપણને કંઈ ને કંઈ વેઠવું પડતું હોય છે તેમ એની ખુબીના કારણે આપણને કંઈ ને કંઈ ફાયદો પણ થતો જ હોય છે. અમુક રીતે એ નુક્શાનકર્તા છે તો અમુક રીતે એ લાભકર્તા પણ છે જ. પણ એક વાર મનમાં એક આગ્રહ બંધાઈ ગયા પછી આપણે એ વ્યક્તિનો ગમે એટલો વિચાર કરીએ, આપણો વિચાર એ પૂર્વગ્રહની લાઈન પર જ ચાલે છે. ટાઈલ્સ પર એક વાર પાણી ઢોળાય ને જે રેલો ચાલે, એ રેલો સૂકાયા પછી પણ ટાઈલ્સ પર એક એવી અસર મૂકી ગયો હોય છે કે બીજી વાર પાણી ઢોળાય તો ત્યારે એ રેલાની ઝાંખી રેખા પર જ પાણીનો પ્રવાહ ચાલે છે. એમ એક વાર બંધાઈ ગયેલો પૂર્વગ્રહ મનમાં એક એવી સંસ્કારરેખા અંકિત કરે છે કે જેથી પછી એ વ્યક્તિ અંગેની વિચારસરણી એ જ રેખા પર દોડ્યા કરે છે. જમીન પર રેલવે ટ્રેક નંખાઈ જવી જોઈએ. પછી સેંકડો કિલોમીટર કેમ પસાર ન થઈ જાય, ટ્રેન એક ઈંચ જેટલી પણ એ ટ્રેકથી આધીપાછી થતી નથી. એમ એક વાર મનોભૂમિ પર પૂર્વગ્રહની ટ્રેક કંડારાઈ જવી જોઈએ, પછી કલાકોના કલાકો વિચાર કરવામાં કેમ પસાર ન થઈ જાય, વિચારધારા એ પૂર્વગ્રહની રેખાને એક તસુ જેટલી પણ ઉલ્લંઘી શકતી નથી. આ એકતરફી વિચારધારાને રોકીને જો થોડાઘણા પણ મધ્યસ્થ બનાય. તો તે વ્યક્તિ એટલી ખામીવાળી ન લાગે કે એકલી ખામીવાળી ન લાગે, તેનામાં પણ કંઈ ને કંઈ ખૂબી જોવા મળે. ખુબીઓ જોવાનું થાય તો ખામીઓ જોવાનું ટળે, ખામીઓ જોવાનું ટળે તો સ્થપાયેલા પ્રેમ-વાત્સલ્યના સંબંધો જળવાઈ રહે. નહીંતર તો એ સંબંધો તૂટીને શત્રુતા ઊભી થઈ જાય છે. અને તો પછી સર્વ જીવો સાથે મૈત્રીસંબંધ તો કેટલો દુષ્કર થઈ જાય ? મૈત્રીભાવનાને અખંડિત રાખવા માટે બીજાઓની ભૂલોને ભૂલવી જ પડશે. એ માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178