Book Title: Hansa tu Zil Maitri Sarovar Ma
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

Previous | Next

Page 149
________________ ૧૪૨ હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં વાંક ન હોય, એના પર ગુરુદેવ ૪૦-૫૦ સાધુઓની વચમાં ખખડાવી નાખે, તો મારા જેવાને તુરંત બચાવ કરવાનું મન થઈ જાય, સાચી વાત જણાવવાનું મન થઈ જાય. “સાચી વાત નહિ જણાવું તો ગ્રદેવના અને અન્ય મહાત્માઓના દિલમાં મારે માટે ખોટી કલ્પના ઊભી થઈ જશે.” આવા વિચારથી પણ એ કહેવાનું મન થઈ જાય. “અરે ! આવું વિચારવાનોય અવકાશ ન રહે, જેવું ગુરુદેવ બોલે કે તરત મોમાંથી શબ્દો સરી જ પડે કે સાહેબજી ! ફલાણાએ મંગાવ્યું છે, માટે હું તો લાવ્યો છું...' પણ એ તો અદ્ભુત મહાત્મા હતા. એમણે જાણે કે આવું વિચાર્યું... “મારે સ્વયં ખાવું નથી, હું તો ખાલી અન્ય માટે લાવ્યો છું. તોય ગુરુદેવ જો આટલા કડક શબ્દો કહે છે તો ફલાણાએ મંગાવ્યું છે, એવું જાણીને તો કોને ખબર કેવા ખખડાવી નાખે ? એટલે બહેતર છે કે હું જ ગુરુદેવનો આક્રોશ સહી લઉં.” બીજાની ભૂલ જણાવી દઉં એવા કોઈ જ સળવળાટ કે ખણજને આધીન થયા વિના સ્વસ્થપણે બધું સાંભળી લીધું. થોડીવાર બાદ બીજા મહાત્માએ ખુલાસો કર્યો કે સાહેબ ! ફલાણાએ મંગાવ્યું હતું માટે એ મહાત્મા લાવ્યા હતા. અને એમણે તો ડૉક્ટરે ખાસ કહ્યું છે માટે મંગાવ્યું હતું, પછી ગુરુદેવે પણ એ મહાત્માને કહ્યું કે, એ જ વખતે આ કહી દેવું હતું ને, તો ઠપકારવા ન પડત.' એ મહાત્માએ થોડી વાર ઠપકો ખમી લીધો, પણ પૂજ્યપાદ ગુરુદેવના, એ મંગાવનાર મહાત્માના અને અન્ય બધા મહાત્માઓનાં દિલમાં ઘેરી છાપ ઊભી થઈ ગઈ. વર્ષો બાદ આજે પણ અવસરે અવસરે એ પ્રસંગ યાદ આવે છે ને અહોભાવથી એ મહાત્મા પ્રત્યે દિલ ઝૂકી જાય છે. મને જે વ્યક્તિ મર્યકર દોષો અને અપરાધોથી ભરેલી લાગે છે મને પણ હું 'જમો ભાણ' બોલવા હામ નમસ્કાર છે વળી છે પછાતાને પણ નકારી શકાતી નથી કે એ મારા કરતાંય પટેલ ખામોનતિ સાધી સિદ્ધ થઈ જાય, તો એના પ્રત્યે પ્રેમભાવ છે કાલે 1 Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178