________________
૧૬૨
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં
અવસરે કહીશ એમ વિચારી રાખ્યું હોય, તો ઘણી વાર પાછળથી પોતાને એવી પ્રતીતિ થાય છે કે “આમાં કહેવા જેવું શું છે? આવી પરિસ્થિતિમાં તો કોઈપણ માણસ આવું જ કરે.” કદાચ આવી પ્રતીતિ ન થાય અને ૪-૬ કલાક બાદ પોતે એકાંતમાં એ વ્યક્તિને કાંઈ કહે, ત્યારે એ વ્યક્તિ જે ખુલાસા કરે, પોતાની પરિસ્થિતિ જણાવે, પોતે જે અભિપ્રાયથી એ કાર્ય કર્યું હોય, તેને વ્યક્ત કરે તો એનાથી પણ એનું એ વર્તન કોઈ ગંભીર ભૂલરૂપ નહોતું એમ પ્રતીત થઈ શકે છે, કેમકે એના ખુલાસાને સ્વીકારવા ન દેનાર આવેશ હવે રહ્યો હોતો નથી: એટલે એવા વર્તન અંગે કાંઈ કહેવાનું જ ન રહેવા રૂપે લાભ થાય છે. જેટલા ઑપરેશન ટાળી શકાય એટલો દર્દીને વધુ ને વધુ લાભ જ હોય છે. કદાચ એનું વર્તન હજુય ભૂલરૂપ જ લાગે તોય જે ઓપરેશન થાય એ ઑપરેશનના નિયમોને ચાતરી જઈને કરવાનું જરૂર ટાળી શકાય છે, જેના કારણે બીજું કોઈ ગંભીર નુકશાન થતું નથી.
ઓન ધ સ્પોટ ભૂલ અંગેનું ભાષણ શરૂ કરી દેનારે રાતે પથારીમાં પડ્યા પડ્યા શાંતચિત્ત-સ્વસ્થ મને દિવસભરનું સરવૈયું કાઢવું જોઈએ. આખા દિવસ દરમિયાન નોકર, ચાકર, મહેતા, પત્ની, પુત્ર વગેરે કેટકેટલાને કેટકેટલીવાર કઈ કઈ ભૂલ માટે ઠપકો આપ્યો કે કટુવેણ કહ્યાં એનો જો એ સરવાળો માંડે અને તે તે દરેક પ્રસંગે તે તે
વ્યક્તિનું વર્તન શું ખરેખર ઠપકાપાત્ર હતું કે એમાંથી કેટલીય ભૂલો નેગ્લીજીબલ હતી' એનો જો સ્વસ્થચિત્તે વિચાર કરે તો, મને લાગે છે કે, દિવસ દરમ્યાન દસ વાર ઠપકો આપવાના બનેલા પ્રસંગોમાંથી ઓછામાં ઓછા પાંચ પ્રસંગો તો એવા જરૂર ભાસે કે જેમાં કાંઈ જ ઠપકો આપવા જેવું ન હોય, “આવી નાની નાની ભૂલો તો થયા કરે, એમાં ઠપકારવાનું શું ? એવી ભૂલો તો મારાથીય થયા કરે છે.' એમ લાગ્યા વિના ન રહે. એટલે જ જર્મન લશ્કરનો એક કાયદો હતો કે કોઇપણ સોલ્જરની બીજા સોલ્જરને ભૂલ લાગી અને ફરિયાદ કરવા જેવું લાગ્યું હોય તો પણ તુરંત ફરિયાદ ન કરવી. કિન્તુ ભોજન થઈ જાય, એક રાત પસાર થઈને પોતાને મનમાં શાંતિ અને સ્વસ્થતા થઈ જાય એ પછી ફરિયાદ કરવા જેવું લાગે તો ફરિયાદ કરી શકે. એ પહેલાં જો ફરિયાદ કરવામાં આવે તો એ ફરિયાદ કરનારને સજા થતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org