________________
અન્યની ભૂલની દુરસ્તી
૧૪૭ એને સમાચાર મળ્યા કે નગરમાં એક બહુ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સંત પધાર્યા છે. એટલે સંત દ્વારા સિગારેટ બંધ કરાવવાની એને આશા જાગી. સંત પાસે જઈને એણે દિલની મૂંઝવણ પ્રકટ કરી. સંતે કહ્યું, “જુઓ બહેન ! હું તમારા પતિની સિગારેટ બંધ કરાવી દઉં. પણ એ પહેલાં તમે એક કામ કરો. તમે દરેક વખતે એને સિગારેટ બંધ કરવાનું જે કહે કહે કરો છો તે બંધ કરી દ્યો. આ ટોકટોક કરવાનું બંધ કર્યા બાદ પંદર દિવસે મને મળો.”
એ મહિલાએ સંતની વાત સ્વીકારી લીધી. જો પોતાના પતિની સિગારેટ છૂટી જતી હોય તો પછી પોતાને ક્યાં કંઈ કહેવાનું રહેતું હતું ? એમ વિચારીને એણે સંતની વાત સ્વીકારી લીધી. પણ ત્રણ દિવસ થયા ન થયા અને ચોથે દિવસે એ બાઈ પાછી સંત પાસે આવી, અને સંત પાસે પોતાની નાદારી નોંધાવી કે, “મહારાજ ! તમે મને બીજું કાંઈ બતાવો. આ મારાથી થઈ શકે એમ નથી. એ મારી સામે સિગારેટ પીએ ને હું કહ્યા વગર રહું, એ શક્ય નથી. ન ટોકવાનો ગમે એટલો પ્રયાસ કરું તોપણ મારાથી ટોકાઈ જાય છે. તમે કહો તો મીઠાઈની બાધા લઈ લઉં, તમે જણાવો તો હું ફૂટની પ્રતિજ્ઞા કરી લઉં, તમે ફરમાવો તો હું ચા બંધ કરી દઉં, પણ આ ટોકવાનું મારાથી બંધ થાય એમ નથી.” સંતે સ્મિત કરતાં કહ્યું કે “બહેન ! માત્ર ત્રણ વર્ષથી પડેલી ટોક ટોક કરવાની કુટેવ તમે છોડી શકતાં નથી, તો વર્ષોથી પડેલી સિગારેટ પીવાની કુટેવ પતિ છોડી દે એવી અપેક્ષા તમે શી રીતે રાખી શકો ?”
બેદરકારીથી વારેવારે વસ્તુ બગાડી નાખવાની કે એવી અન્ય કોઈ, નોકર વગેરેની કુટેવ કરતાંય એને દરેક વાર ટોક ટોક કર્યા કરવાની કુટેવ વધુ ભયંકર છે. એમાં એક કારણ તો એ પણ ખરું કે, “આ ટોક ટોક કર્યા કરવું એ મારી એક ભયંકર ભૂલ છે, કાતિલ કુટેવ છે, એનાથી સ્વ-પરને મોટું નુકશાન થવાનું છે.” એવું તો લગભગ
ખ્યાલમાં નથી આવતું, પણ ઉપરથી “આ તો કરુણાબુદ્ધિથી સામાનું હિત કરવા થયેલી પોતાની એક સારી પ્રવૃત્તિ છે.” એવું મિથ્યા અભિમાન મનમાં રમ્યા કરે છે. વારંવાર ટોકવું એ ટકટકરૂપ બને છે, ટકોર રૂપ નથી બનતું, અને તેથી એ સામાને સુધારવા માટે સમર્થ નથી હોતું. ટકટક કર્યા કરવી અને ટકોર કરવી એમાં મેરુ-સર્ષપ જેટલો ફેર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org