________________
સન ૧૯૨૯નું ગ્રંથ પ્રકાશન
સાથે દેશી રાજ્યોને શે! અને કેવા પ્રકારના સંબંધ હાય તેનું નિરાકરણ સૂચવતા, અટલર કમિટીનેા રીપોર્ટ, અને અમૃતલાલ શેઠનું, ‘રાજસ્થાનતી સમસ્યાએ’ એ પુસ્તક અગત્યનાં છે. નરીમાન હાર્વર્કસ, જાહેર બાંધકામ ખાતાનું કામકાજ કેવું અંધેર રીતે થાય છે તેનું પાકળ ફાડે છે; પણ એ બધી પ્રસિદ્ધિઓમાં મહત્વનું અને સારી રીતે લખાયલું પુસ્તક બારડેાલી સત્યાગ્રહને ઇતિહાસ' છે. તે જેમ રાજકીય લડતમાં એક નવીન શસ્ત્રમા` પ્રજાને ખતાવે છે તેમ તેમાંનું વૃત્તાંત-ગામનું અને ગ્રામ્યજીવનનું વાસ્તવિક ચિત્ર રજુ કરે છે. વળી તેમાં લેખકની સમર્થ કલમ તેની રસભરી અને રમુજી વનશૈલીથી તેમ ભાષા લાલિત્યથી તેની રસિકતા, સચેટતા અને આકર્ષણમાં એર વૃદ્ધિ કરે છે.
શુદ્ધ સાહિત્ય ગ્રંથેામાં આપણે પ્રથમ નિબંધ અને વિવેચનનાં પુસ્તક જોઇએ. કવિતા અને સાહિત્ય ભા. ૪ માં સ્વ. સર નિષધ વિવેચન રમણભાઈના હાસ્યરસ પરના વિસ્તૃત નિબંધ, એમની ટુંકી વાર્તાઓ અને એમના કાવ્યાના સંગ્રહને સમાવેશ થયેલે છે. એ ગ્રંથમાળાના આગળના મણકાએામાં રમણભાઇને એક તત્ત્વદર્શી વિવેચક તરીકે આપણને પરિચય થયા હતા; પણ આ પુસ્તકમાં આપણે તેમને એક હાસ્યરસના પ્રવચક, ટૂંકી વાર્તાઓના પ્રયાજક અને એક વિ તરીકે જોઇએ છીએ; અને તે એમની નામના અને કીર્તિમાં ઉમેરેા કરે છે, એમનેા હાસ્યરસ ખીલવવાની ખૂબીને નમુનેા, એમની ટુંકી વાર્તા ‘ચીઠ્ઠી’માં ષ્ટિગાચર થાય છે. તેએ એક સમથ અને કુશળ પ્રબંધકાર હતા, એમ તેમને હાસ્યરસ પરના નિબંધ વાંચતા પ્રતીતિ થશે; અને ન્યાયવૃત્તિ, નમ્રતા, પ્રભુમાં શ્રદ્ધા, સત્યશોધન અને સેવાભાવ, જે એમના જીવનના લાક્ષણિક ગુણા હતા તે એમની કવિતામાં સ્પષ્ટ રીતે તરી આવતા અને ખીલી દીપી ઉઠતા જોઈ શકાશે.
સાહિત્યગ્રંથા
મધ્યકાલિન સાહિત્યના ઇતિહાસ ખંડ ૫ મે, એ મુંબાઈની સાહિત્ય સંસદની પ્રવૃત્તિનું શ્રીયુત મુનશીની ઉમદા મહત્વાકાંક્ષાનું સુંદર ફળ છે. આપણા ગુજરાતી સાહિત્યને પ્રમાણભૂત અને વિસ્તૃત ઇતિહાસ લખાતાં વિલંબ થશે. જે સાધને અત્યારે ઉપલબ્ધ છે, તેની પ્રથમ વિશ્વસનીય નોંધતપાસ અને તારવણી થવાની જરૂર છે. હજી ઘણું સાહિત્ય અસ્તવ્યસ્ત
૨૩