________________
ખુશવદનલાલ ચંદુલાલ ઠાકોર
ખુશવદનલાલ ચંદુલાલ ઠાકોર
એ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય અને ભરૂચના વતની હતા. એમનો જન્મ માર્ગશીર્ષ શુદ૬ સંવત ૧૯૫૬ ના રોજ ભરૂચમાં થયું હતું. એમના પિતાનું નામ ચંદુલાલ ઉમેદરામ ઠાકોર અને માતાનું નામ ચંદ્રમણિ હતું. એમને માબાપનું સુખ લાંબો સમય મળેલું નહિ અને સાથે ગરીબાઈ પણ આવેલી. તેમ છતાં અનેક મુશ્કેલીઓ વચ્ચે એઓ વડોદરા કોલેજમાંથી બી. એ. ની ડીગ્રી ઇગ્રેજી ઇચ્છિત વિષય લઈને આનર્સ સહ, મેળવવા શકિતમાન થયેલા, તે એમના ખંતપૂર્વક અભ્યાસ અને ઉત્તમ ચારિત્રનું ફળ હતું. તેઓ સુરત ખાદીધારી હતા; અને મહાત્માજીના આદર્શોને ઝીલવાને પૂરે પૂરે પ્રયત્ન કરતા. ભરૂચમાં એઓ જાહેર સેવા કાર્યથી આગળ આવી, વિદ્યાર્થી આલમમાં લોકપ્રિય થઈ પડ્યા હતા, થોડાક વખત પર એમણે ભરૂચમાં એક સારી માધ્યમિક શાળાની ખોટ હતી તે પૂરી પાડવા, પાયોનિયર હાઇસ્કુલ નામની એક નવી ઈગ્રેજી નિશાળ કાઢી હતી. તે પગભર થાય, તેનું કંઈ ફળ આવે તે પૂર્વે તેઓ ભરયુવાન યે મૃત્યુ પામ્યા છે, એ એક દુઃખદાયક બનાવે છે.
એમણે સન ૧૯૨૪માં મેકસ્વીની કૃત “Principles of Freedom' એ પુરતકનો “ સ્વતંત્રતાના સિદ્ધાંત ' એ નામે અનુવાદ કર્યો હત; અને તે પુસ્તક “પ્રજાબંધુ' પડ્યું તેના ગ્રાહકેને ભેટ આપ્યું હતું. તે પછી ગયે વર્ષે ( સન ૧૯૨૯માં ) ગુ. વ. સોસાઈટીને લખી આપેલું પ્રો. બેરીકૃત “History of Freedom of Thought' એ નામના પુસ્તકનો “વિચાર વાતંત્ર્યનો ઈતિહાસ ' એ નામે અનુવાદનું પુસ્તક, બહાર પડયું હતું. એમને પ્રિયવિષય કાવ્યશાસ્ત્ર હતો.
ગ્રંથકાર ચરિત્રાવળીનું છાપેલું ફોર્મ એમના તરફથી ભરાઈ આવ્યું ત્યારે અમને સ્વપ્ન પણ ખ્યાલ નહિ કે આવું અણમૂલ્યું રત્ન આમ અકાળે તા. ૧૯ મી માર્ચ ૧૯૨૮ ને બુધવારે દૂર કાળના મુખમાં ઝપટાઈ જશે.
એમના પુસ્તકોની યાદી સ્વતંત્રતાના સિદ્ધાંતો.
સન ૧૯૨૪ [ Principles of Freedom ] ૨ વિચાર સ્વાતંત્રયને ઇતિહાસ. , ૧૯૨૯
[ History of Freedom of Thought ]
૪૫