________________
ગ્રંથકાર ચરિત્રાવળી
ગજેન્દ્રશ કર લાલશંકર પંડયા.
એએ સુરતના વતની અને જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ-વૈદિક છે. એમના જન્મ નડિયાદમાં સં. ૧૯૫૧ ના ચૈત્ર વદ ૯/૧૦ ના રાજ થયેા હતા. એમના પિતાનું નામ લાલશંકર અભયશંકર અને માતાનું નામ રકતાંબરા હતું.
ગુજરાતી છ ધેારણ પૂરાં કર્યાં પછી એમણે ઈંગ્રેજી શિક્ષણ લેવા માંડેલું, સન ૧૯૧૧ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી તેઓ કાલેજમાં દાખલ થયા હતા. સન ૧૯૧૬ માં બી. એ. ઍનસની ડીગ્રી અંગ્રેજી સંસ્કૃત ઐચ્છિક વિષય લઇને મેળવી; અને સન ૧૯૨૦ માં એમ. એ., થયા અને સન ૧૯૨૬ માં ખી. ટી. ની પરીક્ષા પાસ કરી. સન ૧૯૨૪ માં તેએ મુંબાઇની વિનતા વિશ્રામમાં પ્રિન્સિપાલ નિમાયા; પણ ત્યાં લાંબે સમય રહેવાનું થાય તે અગાઉ ગુજરાત કાલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે એમની પસંદગી થઇ; અને અહિં પેન્શનર અધ્યાપકેાના નવા નિયમને લીધે એ વથી વધુ રહેવાનું થયું નહિ.
એમના પ્રિય વિષયેા ગુજરાતી ભાષાશાસ્ત્ર અને સાહિત્ય છે.
સ. ૧૯૮૧ માં કૌમુદી' માં પ્રેમાનંદના “મામેરા' પર એક વિસ્તૃત, વિવેચનાત્મક નિબંધ એમણે પ્રથમ લખેલેા. તે પછી અવારનવાર પ્રાચીન કાવ્ય વિષે એક વા ખીજા માસિકમાં તેએ લખતા રહ્યા છે.
પણ વિશેષ ધ્યાન ખેંચે એવી બિના, એમના જીવનમાં એ છે કે તેઓ એક સારા નાટકકાર છે; અને એમના કેટલાંક નાટકા જેમકે ‘જમાનાના રંગ,’“કૅાલેજની કન્યા” ‘કાશ્મીરનું પ્રભાત,’ ‘વિજય કાના’ ‘કુલાંગાર કપૂત,’ ‘કુદરતના ન્યાય' વિગેરે રંગભૂમિ પર સફળ થયાં છે.
એમના ગ્રંથાની યાદીઃ
૧ સંક્ષિપ્ત સંસ્કૃત વ્યાકરણ [મેટ્રીક વર્ગ માટે.]
૨ એ આખ્યાન.
૩ વલ્લભનું જીવન ૪ નરસિંહનું જીવન,
૪૬
સ. ૧૯૭૮
સ. ૧૯૮૪
સ. ૧૯૮૫
સ. ૧૯૮૫