________________
ગ્રંથકાર ચરિત્રાવળી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર, પેટલાદ તાલુકામાં આવેલા સોજીત્રાના વતની છે. એમને જન્મ સન ૧૮૭૪ માં આણંદ પાસે નાર ગામમાં થયો હતા. એમના માતાનું નામ હરખાબા છે. એમણે કોલેજના પ્રિવિયસ કલાસ સુધી અભ્યાસ કરેલો છે; પણ તે પરીક્ષા આપેલી નહિ. એમના પ્રિય વિષયો, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને પુરાતત્ત્વ છે; અને વિશેષમાં બંગાળી અને જર્મન ભાષાઓનો બારીક અભ્યાસ કરેલો છે.
સન ૧૯૦૧ થી લેખનકાર્ય આરંભેલું. એમનું પ્રથમ પુસ્તક “સામાજિક પ્રોત્સાહ” નામે છે, જે એક ઈગ્રેજી ચોપાનિયાનો અનુવાદ છે. પછીથી “લતાકુમારી', “પદ્માલયા’, ‘મહારાષ્ટ્ર જીવન સંધ્યા”, “રાજપુત જીવન પ્રભાત', ગેરિબડી, વગેરે ગ્રંથે બંગાળીના આધારે રચેલાં પણ એમની ખ્યાતિ છેલ્લા પુસ્તક “ગેરિબડી થી વિશેષ થઈ હતી. તે પછી અંગ્રેજીના આધારે અમેરિકન પ્રેસિડન્ટ મહાવીર ગાફિલ્ડનું જીવનચરિત્ર અને ઈશ્વરે આ વિશ્વ રચ્યું,” એ બે પુસ્તકે બહાર પાડયાં હતાં. પણ તે અરસામાં સરકારની એમના પર અવકૃપા થવાથી એમને પરદેશ વેઠવો પડે. તે વર્ષે એમણે જર્મન ઈસ્ટ આફ્રિકામાં ગાળેલાં; અને તે સમયે લખાયેલાં એમના પત્ર, જેમ તે પ્રદેશની મહત્વની જાણવા યોગ્ય માહિતી આપે છે, તેમ માતૃભૂમિ માટે એમનું અંતર કેટલું બધું સીઝતું હતું તેની સરસ છાપ પાડે છે. તે પછી હિન્દમાં આવી તેઓ થોડોક સમય કવિવર ટાગોરના શાતિનિકેતન આશ્રમમાં જઈ રહ્યા હતા અને ત્યાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું.
ત્યારબાદ તેઓ પિતાના વતન નજદિક આવી વસ્યા છે. આણંદમાં પાટીદાર આશ્રમ કાઢી અને પાટીદાર’ માસિક ચલાવી, કોમના ઉત્કર્ષ અર્થે તેઓ અત્યારે ભારે સેવા કરી રહ્યા છે.
વયે પહોંચ્યા છતાં એક યુવકને જેબ આપે એ તેઓ જુસ્સો ધરાવે છે. એમના વિચાર અને આદર્શ પણ એટલા જ ક્રાંતિભર્યા છે.
સમાજસેવા અને કમસેવાના કાર્ય સાથે સાથે એમને સાહિત્ય વ્યવસાય પણ ચાલુ છે. થોડાંક વર્ષો પર “તરંગવતી' નામે એક પ્રાચીન જૈન વાર્તા ગ્રંથને એમણે અનુવાદ પ્રકટ કર્યો હતે. કવિવર ટાગોરના નૈવેદ્યની પ્રસાદી આપણને તાજી જ મળેલી છે અને તે આગમચ કવિ શિલરનું
૧૨