Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 234
________________ ગ્રંથકાર ચરિત્રાવળી રાજેન્દ્ર સામનારાયણ દલાલ એએ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ; સુરતના વતની છે. એમને જન્મ તા. ૧૨મી જાન્યુઆરી ૧૯૮૩ ના રાજ થયા હતા. માતપિતા બંને સંસ્કારી અને ગભશ્રીમંત. પિતાનું નામ સામનારાયણ અને માતાનું નામ વિયાગૌરી હતું. એમના પિતાએ એલ્ફીન્સ્ટન કાલેજમાં પ્રિવિયસ સુધી અભ્યાસ કરેલે; તે પછી જુનાગઢ રાજ્યમાં નવાબના ખાનગી શિક્ષક તરીકે જોડાયલા; પણ નિખાલસ અને સ્વતંત્ર સ્વભાવના હાઇને, રાજ્યનું ખટપટી જીવન ફચ્યું નહિ; અને ત્યાંથી છૂટા થઈ મુંબાઈમાં આવી શેરના ધંધામાં પ્રવેશ કર્યાં. અહિં એમની વ્યવહારકુશળતા અને પ્રમાણિકપણાની સારી આંટ બંધાઈ અને એક આગેવાન શેરદલાલ તરીકે તેમની ગણના થવા લાગી. શેર ધધામાં પ્રવૃત્ત રહેવા છતાં એમનું સંસ્કારી જીવન એમને સંગીત અને સાહિત્ય તરફ હમેશ પ્રેરતું. પાછળથી એ ધંધામાં ખેાટ જતાં, એએ નબળી સ્થિતિમાં આવી પડયા. રાજેન્દ્રરાવ છ વર્ષના હતા ત્યારે તે દેવલેાક પામ્યા હતા. આવી વિપદ્ સ્થિતિમાં બે પુત્રા અને એક પુત્રીને ઉછેરી યેાગ્ય શિક્ષણ આપવાના અને તેમના પાલણપોષણની વ્યવસ્થા કરવાના ભાર વિયાગૌરી પર આવી પડયા, જે કત્તવ્ય તેમણે આપ હુંશિયારી અને ખબરદારીથી સારી રીતે પરિપૂર્ણ કર્યું. પાતાને ભરતગુથ ને ભારે શાખ અને કઈંક ઈંગ્રેજીના અભ્યાસ પણ કરેલે. તેમના એ– ઉન્નત સંસ્કારા એમના પુત્રામાં પણ ઉતરેલા માલુમ પડે છે. તે પોતાના પુત્ર રાજેન્દ્રને પ્રસંગ પડે કહેતા કે જ્યાં સુધી તું ગ્રેજ્યુએટ નહિ થાય ત્યાં સુધી હું તને પરણાવવાની નથી. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણુ બધું સુરતમાં લીધેલું અને સન ૧૮૯૮ માં મેટ્રીકની પરીક્ષા પાસ કરેલી. પછી વડાદરા કાલેજમાં દાખલ થઈ સન ૧૯૦૨ માં ખી. એ. ની પઢી બીજા વર્ગોમાં બાયલાજીને વિષય લઇને મેળવી હતી. તે વખતે કૅાલેજના પ્રિન્સિપાલ અરવિંદ ધેાષ હતા અને એમના ઉત્તમ શિક્ષણની અસર અન્ય વિદ્યાર્થીઓની પેઠે રાજેન્દ્રપર પણ ઉંડી થયલી; અને તે સમયથી ‘Pride and Prejudice'-પ્રાઇડ અને પ્રેજ્યુડીશ–નું નવલકથાનું પુસ્તક શિક્ષતાં, ગુજરાતીમાં એવી એક નવલકથા લખવાના સંકલ્પ કરેલા, જે “ વિપિન ” માં પરિણમ્યા છે. ખી. એ. થયા પછી તેએ સરકારી નોકરીમાં મુંબાઈ સેક્રેટરીએટમાં દાખલ થયેલા; પણ છ એક માસ થયા નહિ હાય એટલામાં એમના માતાએ એમને યાત્રાએ લઇ જવાનું કહ્યું. નેકરીના અંગેના લાભાના વધુ વિચાર ૧૬૬

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286