________________
ચતુર્ભુ જ માર્કેશ્વર ભટ્ટે
ચતુર્ભુજ માણુકેશ્વર ભટ્ટ
એમને જન્મ સ. ૧૯૨૯ માં થયા હતા. માતાનું નામ લિલતાગવરી હતું. જ્ઞાતિએ તે ઉદિચ્ય સહસ્ર બ્રાહ્મણ છે. માતૃપક્ષે શ્રી ચતુર્ભુજની માતાના પિતા જાની મેાતીરામ જ્યોતિષશાસ્ત્રમાં અને કમકાંડમાં નિપૂર્ણ હતા. એમના કુટુંબ વિષે નીચે મુજબ આખ્યાયિકા પ્રચલિત છેઃ
મૂળરાજ મહારાજ સ્થાપિત રૂદ્રમાળ પૂરા કરાવી સિદ્ધરાજે સિદ્ધપુરમાં મહારૂદ્ર કરાવ્યા, તેમાં ઔદિચ્ય બ્રાહ્મણે અધ્વર્યુ હતા; તેમને સિદ્ધપુરની દક્ષિણના ગામે અર્પણ કર્યું!. તેમાંના જે માંડલમાં વસ્યા તે માંડલીઆ રાવળ કહેવાયા. માંડલ ઉપરાંત તેમાંના કેટલાક વિરમગામમાં તેમજ ઇડરવાડાના ગામામાં જઇ વસ્યા. આ કર્મકાંડીએ ભટ્ટની અટકથી ઓળખાયા. આ માંડલી રાવળ કુટુંબના આંખેભટ નામના પુરુષ બારડેાલીમાં આવી રહ્યા. શીતળા સપ્તમીને દિવસે મૃત્યુ પામી પુનઃવિત થઇ વંશવૃદ્ધિ તેમણે કરેલી એવી આખ્યાયિકા ચાલતી હોવાથી હજુ પણ બારડેલીના માંડલીઆ રાવળનાં દોઢસા ધર શીળી સાતમને દિવસે તેમનું સ્મરણ કરે છે; એજ કુટુમ્બમાં અંબારામ ભટ્ટ થયા, જે ધાર સ્ટેટના દિવાન થયા. તે કુટુંબમાં કલેાભટ થયા, જે ઈડર સ્ટેટમાં પ્રખ્યાત થયા.
શ્રી ચતુર્ભુČજના પિતા માણુકેશ્વરજી મુંબાઈમાં મેટા વરામાં રસાઈ કરવા જતા અને રસદને સળેા સમય પ્રસિદ્ધ કથાકાર જયકૃષ્ણ મહારાની કથામાં ગાળતા. તેમને ત્રણ પુત્રા હતા. આ ત્રણ પુત્રાને ઉછેરવા ઉપરાંત ખર્ચોળ જમાનામાં કેળવવા એ તેમની આર્થિક શક્તિ બહાર હતું. ચતુર્ભુ જને તેમણે મુંબાઇ ખેલાવી અંગ્રેજી ભણવા બેસાડયા; પણ ખ ભારે થઇ પડયું. જયકૃષ્ણ મહારાજના શ્રોતાભક્ત સુરતી શેઠ ચુનીલાલ ખાંડવાળાએ ચતુર્ભુજને મદદ કરવા માંડી, અને પાછળથી તેમના પુત્ર ૐા. તુળજારામ ખાંડવાળાની સંપૂર્ણ સહાયતાથી ચતુર્ભુજે સન ૧૮૯૨માં મેટ્રાકની પરીક્ષા પાસ કરી. પછી સન ૧૮૯૯ માં હાઈકા વકીલની પરીક્ષા પાસ કરી.
વિદ્યાર્થી તરીકે તેઓ પકાયલા હતા. વર્ગમાં તેમનું સ્થાન ઉંચું રહેતું; એટલુંજ નિહ પણ ભવિષ્યના વક્તા અને લેખકની ઝાંખી તેમને કિશોર વયમાંજ કરાવેલી જણાય છે. અમદાવાદ મિશન હાઇસ્કુલના પ્રિન્સિપાલ મી. એન્ડરસને લખેલું મારા વના ઉત્તમ વિદ્યાર્થીઓમાં શ્રી ચતુર્ભુ જ
૫૧
66