________________
અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી
અતિસુખ શંકર કમળાશંકર ત્રિવેદી
[ પ્રોફેસર, એમ. એ. એલએલ. બી.] તેઓ જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ છે; જન્મ સુરતમાં ઇ.સ. ૧ ૮૫ ને ૧૫ મી ઍપ્રિલના રોજ થયું હતું. એમના પિતાશ્રી સ્વ. રા. બા. કળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ગુજરાતના એક અગ્રગણ્ય સાક્ષર હતા અને એમના સંસ્કારો સર્વ એમના પુત્રમાં પૂર્ણ રીતે ઉતરી આવેલા છે. એમના પિતા ને કરીને અંગે ફરતા રહેતા, તેથી જૂદે જુદે સ્થળોએ એમણે શિક્ષણ લીધું t. 1. સન ૧૯૦૪ માં બી. એ; અને સન ૧૯૬ માં તેઓ એમ. એ; થયા હતા. સન ૧૯૦૭ માં એલ એલ. બી. ની પરીક્ષા પસાર કરી; પણ વિદ્યા પ્રતિ વિશેષ પ્રેમ હોવાથી અધ્યાપકની નોકરી પસંદ કરી; અને આજ ઘણાં વર્ષોથી (૧૯૧૧ પછી) વડોદરા કૉલેજમાં તેઓ ફિલસુફી અને તત્ત્વજ્ઞાનના સીનીઅર પ્રોફેસર તરીકે કામ કરે છે. તે ઉપરાંત દલેજના ગુજરાતીના વર્ગો પણ લે છે. ૧૯૨૧માં તેઓ Ethics(નીતિશાસ્ત્ર)ના નિવર્સિટિ લેકચરર નીમાયા હતા. તેઓએ મેટ્રિકથી એમ. એ. સુધીની પરીક્ષાઓમાં વર્ષો સુધી પરીક્ષક તરીકે કામ કર્યું છે.
એમની પ્રવૃત્તિ સાહિત્ય અને કેળવણીના વિષયોમાં વિશેષ નજરે પડશે.
તેઓ લાંબી મુદતથી મુંબઈ યુનિવર્સિટીના ફેલો છે; સિન્ડિક તરીકે મિણે ત્રણ વર્ષ કામ કર્યું છે, વળી ઍકેડેમિક કાઉન્સિલના સભ્ય નિમાયા છે. અભ્યાસ કરતા હતા ત્યારથી “બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, “વસત”
ગેરેમાં તેઓ લેખ લખી મોકલતા અને પોતે દક્ષિણનો પ્રવાસ કરેલો તેનું રસિક વર્ણન કાવ્યમાં ઉતાર્યું છે. એમણે એમનું પ્રથમ પુસ્તક ઈ. સ. ૧૯૧૦ માં જાપાનની કેળવણી પદ્ધતિ” મી. શાર્પના રીપોર્ટ પરથી ગુ. વ. નાસાઈટી માટે લખેલું; અને તે પછી ઈ.સ. ૧૯૧૩ માં ગીકૃત “યુરેપના સુધારાને ઇતિહાસ લખેલું. તેમનાં સ્વતંત્ર પુસ્તક “નિવૃત્તિ વિનોદ' અને સાહિત્ય વિનોદ' એ નામથી છપાયેલાં છે; તે ગ્રંથે લોકપ્રિય નિવડ્યા છે. તે ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં પુસ્તક લખેલાં છે, જેની માગણી વિદ્યાથી સમૂહમાં વિશેષ રહે છે.
એમના ગ્રંથની યાદી: જપાનની કેળવણીની પદ્ધતિ (પ્રે, શાપના અંગ્રેજી પુસ્તકનું ભાષાંતર) [૧૯૧૦