________________
ગ્રંથકાર ચરિત્રાવળો
તે સમયની મુંબઇ ના. સરકારની કૌન્સિલના સભ્ય સર મહાદેવ ચૌખલે આ સંબંધે કાયદા સુધરાવ્યા અને વકીલા પણ એ એહ્વા માટે લાયક છે એવી કલમ દાખલ કરાવી. તેથી વખત આવે પાછા સરકારે એમને વડા જડજની જગાએ નીમ્યા. આ પછી એમણે સને ૧૯૨૮ના ડીસેખરની આખર સુધી એટલે પોતે નિવૃત્ત થયા ત્યાં સુધી ભાગવી. સર લારેન્સ જેન્કીન્સના વચનનું માન રાખવા ખાતર એમને જે ભાગ આપવા પડયે તેનું સ્મરણ જ્યારે જ્યારે હાઈકામાં જડજની જગા ખાલી પડતી ત્યારે ત્યારે સૌને થયા કરતું; કારણ જો હાકેાની વકીલાતને વળગી રહ્યા હોત તે એ જડજની જગાને લાભ એમને મળ્યા વગર રહેત નહિં, એમ સૌનું ધારવું હતું; જો કે પાછળથી એએ હાઈ કાના જડજ પણ નીમાયા હતા. સને ૧૯૨૭માં હાઈ કાટના એક ખારીસ્ટર જડજની કામચલાઉ જગા ખાલી પડતાં પાતે વકીલ હાવા છતાં એમની એ જગાએ નિમણુંક કરવામાં આવી હતી. એમણે ચાર પાંચ માસ સૂધી એ આસને બેસી એરીજીનલ સાઇડ પરના કેસેાને એવી તે ખાહેાશી અને ત્વરાથી નીકાલ કરી આપ્યા કે જેથી પક્ષકાર, ખારીસ્ટર–સોલીસીટર દરેકને સંપૂર્ણ સતાષ થયા હતા.
સને ૧૯૨૯ ના જુન માસમાં સરકારે એમને દીવાન બહાદુરના ઈલ્કાબ આપ્યા.
સાક્ષરતા તા એમની ત્રણ પેઢીથી ચાલી આવે છે. પિતામહુ રણછેાડદાસ આખા ગુજરાતમાં કેળવણીના પિતાના નામથી ઓળખાય છે અને એમના પિતા રા. બા. મેાહનલાલ સને ૧૮૫૮ ની હેાપ વાચનમાળા કમિટીના સભ્ય હતા, અને એ વાચનમાળાના અમુક વિષય પરના પાઠ એમના લખેલા હતા. સુરત જીલ્લાનાં ગામડાંમાં તે આજે પણ જે કાઈ ડેપ્યુટી પરીક્ષા લેવા આવે તે “મા”લાલ” ના નામથી ઓળખાય છે. વંશ પર પરાથી ઉતરતી આવેલી કેળવણીની પ્રગતિમાં કૃષ્ણલાલભાઇના હિસ્સા સૌથી મેાટા છે, સને ૧૮૯૩ થી ૧૯૦૫ સૂધી યુનીવર્સીટીની ફારસીની પરીક્ષામાં એ પરીક્ષક નીમાતા હતા. એલએલ. બી. માં પણ એએ પરીક્ષક નીમાતા હતા. અને સને ૧૯૨૪ થી આજ પર્યંત કાઈ વખત બી. એ., કાઈ વખત એમ. એ., ની પરીક્ષામાં એએ ગુજરાતીના પરીક્ષક નીમાય છે. એમના પિતાના સ્વર્ગવાસ પછી તેમની જગાએ સરકારી કેળવણી ખાતા તરફથી એમને “જીક-કમિટી” માં નીમવામાં આવ્યા હત!.
४०