________________
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
આજે કેટલાં વર્ષોથી ગુજરાતી પુસ્તકની “મોડર્ન રીવ્યુ” માં એમના ૨ થી કરવામાં આવતી સમાલોચના તરફ ગુજરાતી વાચકોનું લક્ષ
ચાયા કરે છે. સને ૧૯૨૬ માં ગુજરાતી સાહિત્ય પરિષદુ જ્યારે મુંબાદમાં મળી ત્યારે એઓ તેના સ્વાગત મંડળના અધ્યક્ષ ચૂંટાયા હતા.
સાહિત્ય સેવા ઉપરાંત એમની બીજી સેવાઓ અનેકવિધ છે. મુંબાઈનાં અનેક ધર્માદા ખાતાઓ અને જાહેર સંસ્થાઓમાં, કાંતે પ્રમુખ, કાંતે વ્યવસ્થાપક કમિટીમાં, કાંતો ટ્રેઝરર તરીકે એઓ કામ કરે છે. એ જ-ટીસ વધી પીસ છે. મુંબઈ યુનીવર્સીટીના ફેલો હોવા ઉપરાંત
ઓ યુનિવર્સીટીની ગુજરાતી “બાર્ડ એ સ્ટડીઝ” ના પ્રમુખ તથા નીવસટી લાઈબ્રેરી કમિટીના એક સભ્ય છે.
લકોઝ કોર્ટના વડા જડજ તરીકે એમને પોતાના હક્કનું સંરક્ષણ કરવા ના. સરકાર સાથે અવારનવાર લડવું પડતું, છેલ્લે છેલ્લે નિવૃત્ત થયા પછી પણ પિશન બાબતમાં દેશીઓને અને યુરોપીઅોના પેન્શન નની રકમના ભેદને લઇને એમણે ચાર માસ સુધી પેન્શન લીધેલું નહિ. આ બાબતમાં હવે પછીના દરેક વડા જડજને પછી તે બેરીસ્ટર હોય કે વકીલ હોય તે પણ એક સરખું પેન્શન આપવાનો ઠરાવ સરકાર પાસે કરાવરાવીને એમણે એ પ્રશ્નનો અંત આણ્યો છે.
માતૃભાષા ઉપરાંત ફારસી, ઇંગ્રેજી, ઊદૂ, બંગાળી અને મરાઠી ભાષાનું એ સારું ગાન ધરાવે છે.
હાલમાં પાલણપુરના નવાબ સાહેબના આગ્રહને લઈને ત્યાંના જયુડોશીઅલ એડવાઈઝર તરીકે એઓ કામ કરે છે. સને ૧૯૨૯ માં સરકારે નબાઈનાં હુલ્લડની તપાસ સમિતિમાં એમની નિમણુંક કરી હતી. વળી અમદાવાદમાં એજ વર્ષમાં મીલમજુર અને મીલમાલીકે વચ્ચે પગારની રકમ સંબંધી વાંધે પડતાં તે વાંધે મહાત્મા ગાંધીજી અને શેઠ મંગળદાસ પાસે લવાદ -રીકે મૂકવામાં આવ્યો. તેમાં બંને લવાદો વચ્ચે મતભેદ થતાં સરપંચ તરીકે એમને નીમવામાં આવેલા, અને બેઉ પક્ષની તકરાર સાંભળી એ પ્રશ્નને અભ્યાસ કરી એમણે જે નિર્ણય આપો તેથી બંને પક્ષને સંતોષ થયો હતે.
જુની ફારસી સનદ અને હસ્તલિખિત પ્રતે ઉકેલવાનો એમને બહુ શેખ છે. જૂના ફારસી દરતાને ઉપર એમણે ઈગ્રેજી તથા ગુજ- તીમાં લેખ લખ્યા છે. વૈષ્ણવ સંપ્રદાયના બીનાથજીના હાલના મહારાજના