________________
અરદેશર ફરામજી ખબરદાર
અરદેશર ફરામજી ખબરદાર
સ્વ. મલખારી પછી પારસી લેખકેામાં કવિશ્રી અરદેશર ફરામજી ખબરદાર ગુજરાતી વાચકે!માં બહુ જાણીતા અને લેાકપ્રિય છે. એમને જન્મ ઇ. સ. ૧૮૮૧ માં નવેમ્બર માસની ૬ઠ્ઠી તારીખે દમણમાં થયા હતા. એમનું કુટુંબ પોર્ટુગીઝ રાજ્યમાં પ્રતિષ્ઠિત લેખાતું. એમની પાંચ વર્ષની ઉમર હશે ત્યારે એમના પિતાશ્રી ફરામજી કાવસજી યુવાવસ્થામાં ૨૬ મા વર્ષે પાડાના રોગથી મુંબાઇમાં મૃત્યુ પામ્યા હતા. ખબરદારની અટક એમના કુટુંબીજનોની બહાલી અને હુંશિયારીથી એમના વિડલેને મળેલી. એમણે અંગ્રેજીને અભ્યાસ મુંબાઈમાં ન્યુ હાઇસ્કુલમાં કર્યાં હતા. કવિતા અને સંગીતના શોખ તો એમને ન્હાનપણથી પ્રાપ્ત થયલા. વિદ્યાર્થી અવસ્થામાંથી તેઓએ કવિતા લખવા માંડેલી; તેથી એમના મિત્રા પણ એમને કવિ તરીકે સંમેાવતા હતા.
શાળા છેડયા બાદ દમણમાં આવી રહેલા. અહિંથી તેમણે માસિક મહ ’’ નામનું માસિક, જે સ્વ. દાદી તારાપારવાળાના તંત્રીપદ હેઠળ ચાલતું હતું, તેમાં સેા દ્રષ્ટાંતિક દેહરાએ હિરફાઈમાં લખી મેાકલેલા; અને તેની ઘટતી તારીફ થઇ હતી,
એમને કાવ્યસંગ્રહ પહેલવહેલા સન ૧૯૦૧ માં કાવ્યરસિકા ’’ નામે પ્રકટ થયલે.. તે પછી નવી ઢબની કવિતા પાશ્ચાત્ય વિચાર અને અભ્યાસથી ર્ગાયલી, લખવી શરૂ કરેલી. તેમાં તેમને એમના ગુરૂ મી. નલભાઈ દોરાબજી ભરડા તેમજ એમના મિત્ર મી. પેસ્તનજી ખ. તારાપારવાળા તરફથી પૃષ્ઠ પ્રાત્સાહન મળ્યું હતું. જ્યારે એ કાવ્યેાના સંગ્રહ “ વિલાસિકા ” નામથી પ્રથમ બહાર પડયા ત્યારે સૌ કાઈ તેથી મુગ્ધ થયા હતા અને જાણીતા વિવેચક શ્રીયુત નરસિંહરાવે તેની સમાલેાચના કરી, વાચકવર્ગનું તે પ્રતિ વિશેષ લક્ષ ખેંચ્યું હતું. તે પછી પ્રકાશિકા, ભારતના ટંકાર, સ ંદેશિકા, કલિકા, ભજનિકા અને રાસચ`દ્રિકા એ નામથી એમના કાવ્યગ્રંથ એક પછી ગુજરાતી જનતાને મળતાં રહેલાં છે; અને તે સતા સારે। સત્કાર થઈ, રસભર વંચાય છે.
ઇ. સ. ૧૯૦૮ ની સાલથી એએ ગુજરાત છેાડી મદ્રાસ જઇ ત્યાં સહકુટુંબ ધંધા અર્થે ઠરીઠામ થયા છે અને ત્યાં સાઈકલ અને મેટરને વેપાર મેટા પાયા પર ચલાવે છે.
<<
અસ્વસ્થ તખીઅતના કારણે તેઓ જાહેરમાં ઝાઝા બહાર આવી રાફતા નથી; પણ પ્રસંગેાપાત્ કાઇ મેળાવડામાં ભાષણ આપવાનું બની
'સ્