________________
ગ્રંથકાર ચરિત્રાવળી
-
=
કેશવલાલ હરગોવિંદદાસ શેઠ
એઓ જ્ઞાતિએ ખડાયતા વણિક છે. એમને જન્મ ખેડા જીલ્લામાં ઉમરેઠ ગામમાં સંવત ૧૯૪૫ ના કાતિક વદ બીજના દિવસે થયો હતે. એમના પિતાનું નામ હરગોવિંદદાસ દ્વારકાદાસ શેઠ અને માતાનું નામ નાથીબહેન છે. એમનું મૂળ વતન ઉમરેઠ છે. ત્યાંની યુબિલિ હાઈસ્કૂલમાં છ ધોરણ સુધી એમણે અભ્યાસ કર્યો હતો. પછી તેઓ અમદાવાદમાં આવી વસ્યા હતા. અહિં તેમણે ઈગ્રેજી, મરાઠી, હિન્દી વગેરે ભાષાઓને ખાનગી રીતે અભ્યાસ કરવાનું જારી રાખી, આજીવિકા અર્થે સ્વતંત્ર માલ્કિીનું ખડાયતા મુદ્રણકલા મંદિર ખોલ્યું છે. એમના પ્રિય વિષયો લૈંજિક અને તત્ત્વજ્ઞાન છે; પણ જે વિષયને તેઓ છેડે છે તેને એમની કલમ તેજસ્વી કરી મૂકે છે. શરૂઆતમાં તેઓ અહિંના અઠવાડિક પત્ર “ગુજરાતીપંચ” અને “પ્રજાબંધુ' માં લેખક તરીકે રહ્યા હતા, પરંતુ એમના સ્વતંત્રતાપ્રિય સ્વભાવને કેટલાક અંકુશ ન રૂચ્યા એટલે અંતે એમણે એક જાદુ માલિકીનું છાપખાનું કાઢી, જ્ઞાતિમાસિકનું તંત્રીપદ હાથમાં લીધું. તેમજ બીજી અનેક રીતે સાહિત્યમાં પિતાને હિસ્સો આપવા તેમજ સાહિત્ય પ્રકાશનના કાર્યને આગળ વધારવા તેઓ સારા યત્નો કરી રહ્યા છે.
પ્રજાબંધુ' પત્રમાં હતા ત્યારે એમણે તે પત્ર માટે બે ભેટનાં પુસ્તક કાસ્ટેન્ટિનેપલની કથા” અને “શંભાજીનું રાજ્યારોહણું લખી આપ્યાં હતાં; અને તે અનુવાદગ્રંથે હોવા છતાં લેખકનું વ્યક્તિત્વ તેમાં દેખા દેતું હતું. પણ એ બધા કરતાં એક કવિ તરીકે એમનું નામ સારા ગુજરાતમાં જાણતું થયેલું છે. એમને એ રસપ્રવાહ, આપણે ખુશી થવા જેવું છે કે, સતત વહેતે, વેગભર વહેતો રહ્યા છે. છેલ્લાં દશ વર્ષમાં એમણે સ્વદેશ ગીતાવલિ' “સ્નેહ સંગીત “પ્રભુચરણે,' “રાસ' “અંજલિ અને રાસ મંજરી,' વગેરે પુસ્તકે ગુજરાતી પ્રજાને ભેટ ધર્યા છે; અને ગુજરાતી રસિક વાચકવર્ગે પણ તેને એટલાજ ઉલટથી સત્કાર કર્યો છે.
વળી એમની જ્ઞાતિ સેવા પણ એટલી જ જવલંત ઝળકી ઉઠે છે. જ્યારથી “ખડાયતા મિત્ર’ નું તંત્રીપદ એમના હસ્તક આવ્યું છે ત્યારથી જ્ઞાતિમાં સુધારાર્થે એઓ ભારે ચળવળ કરી રહ્યા છે; અને એમના લખાણની સારી અસર થતી માલુમ પડી આવે છે. એ સુધારો સુગમ બને, સિદ્ધ થાય, તે અર્થે જ્ઞાતિબંધુઓને તેને સંદેશ પહોંચાડવા, આ